ગુજરાત સહિત દેશમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણને લઇને સૌથી વધારે અસર ધંધા-રોજગાર-શિક્ષણ પર જોવા મળી છે. હાલમાં પણ સરકાર દ્વારા સ્કૂલ-કોલેજોને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. જો કે સરકાર દ્વારા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તેના માટે પરીક્ષાઓને મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો મામલો
પૂરક પરીક્ષા માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
1-2 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ આપી શકશે પરીક્ષા
રાજ્યમાં હાલમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1.55 લાખ વિદ્યાર્થીઓએ કોરોના વાયરસના કહેરને લઇને ગાઇડલાઇન મુજબ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે હવે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 1-2 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. આજે સાંજે 5 વાગ્યા સુધીમાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાને લઇને આ વર્ષે કોરોનાના મહામારીના સંક્રમણને લઇને 1 ના બદલે 2 વિષયમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની તક આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ gseb.org વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી શકશે.