ડાંગના સાપુતારામાં શાળા શરૂ થયાના પ્રથમ દિવસે જ ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ
નવસારીના સાપુતારામાં વિદ્યાર્થીનો આપઘાત
સંતોકબા ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીનો આપઘાત
ધોરણ 11માં સાયન્સના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો
ડાંગ સાપુતારા તળેટી વિસ્તારમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે..આપઘાતની ઘટનાથી શાળા પરિસરમાં હડકંપ મચી ગયો છે...સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરમાં ધોરણ 11સાયન્સમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીએ આજે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા ગયો છે.
સંતોકબા ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીનો આપઘાત
દિવાળી વેકેશન બાદ શાળાઓ ફરી ખુલી છે ત્યારે ગઈ કાલે ઘરેથી હોસ્ટેલ પરત ફરેલા વિદ્યાર્થીએ સ્કૂલ કેમ્પસના હોસ્ટેલમાં આપઘાત કરી લીધો લીધો હતો..જોકે વિદ્યાર્થીએ કયા કારણોસર જીવન ટુંકાવ્યું જેને લઈને હજુ સુધી જાણવા મળ્યું નથી, ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે... પોલીસે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને શાળાના સ્ફાની પણ પૂછપરછ હાથ ધરી છે..વિદ્યાર્થીના આપઘાતને જાણ પરિવારને કરવામાં આવતા પરિવારના હોશ ઉડી ગયા હતા..પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.. જો કે વિદ્યાર્થીએ કયા કારણોથી મોતને વાહાલું કર્યું એ વિશે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.. વિદ્યાર્થીના અકાળે મોત બાદ અનેક સવાલો ઉભા થયા છે...
ધોરણ 11માં સાયન્સના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો
હાલમાં તો સાપુતારા પોલીસ દ્વારા શાળા-સંચાલકોનાં નિવેદન લઇને તપાસ કરવામાં આવી રહી છે. આપઘાતની ઘટના સવારે આઠ વાગ્યે બની હોવાની વાત સંચાલકો જણાવી રહ્યા છે, સાથે જ વિદ્યાર્થી ગુંદવહળ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના આત્મહત્યા કરી લેતા વિદ્યાર્થીઓને સકારાત્મક તાલીમ આપવામાં તંત્ર નિષ્ફળ ગયુ હોય તેવું લાગી રહ્યું છે...