વડોદરાઃ અનગઢ ગામનો વિદ્યાર્થી ગુમ થવાના મામલે શાળાએથી છુટ્યા બાદ વિદ્યાર્થી ગુમ થયો હતો. ગુમ થયેલા વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. શાળા પાસે આવેલી ખાઈમાં ડુબી જતા વિધાર્થીનું મોત નિપજ્યુ હતું. શિયાકુઈ પ્રાથમિક શાળાના ધોરણ-2માં આ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો.
વધુ વરસાદ હોવાથી શાળાએ વિદ્યાર્થીઓને વહેલા છોડ્યા હતાં. વિદ્યાર્થીના પરિવારે નંદેસરી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. સ્કુલના સીસીટીવી કેમેરામાં વિદ્યાર્થી જતા હોવાનું દેખાયુ છે.
મહત્વનું છે કે ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓને શાળાએથી રજા આપી દેવામાં આવી હતી. ત્યાર બાદથી આ વિદ્યાર્થી ગુમ થયો હતો. જ્યારે શોધખોળ હાથ ધરવામાં આવી ત્યારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
વિદ્યાર્થીનો મૃતદેહ શાળા નજીકની ખાઇમાંથી મળી આવ્યો હતો. આ વિદ્યાર્થીનું મોત ડુબ જવાથી થયાનું સામે આવી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.