સરકારે અચાનક શેર માર્કેટનાં રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે. માર્કેટ આજે ઘટાડા સાથે બંધ થયું છે. સરકારે STTમાં 25% વધારવાનું એલાન કર્યું છે.
સરકારે રોકાણકારોને આપ્યો ઝટકો
STTમાં 25%નો કર્યો વધારો
રોકાણકારોએ વધારે ટેક્સની કરવી પડશે ચૂકવણી
સરકારે ફ્યૂચર્સ એન્ડ ઓપ્શંસ ટ્રેડ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટ્રેક્સ STTને 25% વધારવાનું એલાન કર્યું છે. આ નિર્ણયથી ટ્રેડર્સને જોરદાર ઝટકો લાગ્યો છે જેની અસર શુક્રવારનાં ટ્રેડ પર પડી છે. સરકારે ફાઈનેંસ બિલ 2023માં સુધારો કર્યો છે અને આ બદલાવ બાદ ઓપ્શંસનાં વેંચાણ પર જ્યાં પહેલાં 1 કરોડનાં ટર્ન ઓવર પર 1700 રૂપિયાનો ટેક્સ ચુકવવો પડતો હતો હવે આ રકમ વધીને 2100 રૂપિયા થઈ ગઈ છે. તો ફ્યૂચર્સ કોન્ટ્રેક્ટનાં વેચાણ પર જ્યાં 1 કરોડનાં ટર્નઓવર પર 10000 રૂપિયાનું STT ચૂકવવું પડતું હતું હવે 12500 રૂપિયા ચૂકવવા પડશે.
રોકાણકારોને ઝટકો
સરકારે ફાઈનેન્સ બિલ 2023માં ફ્યૂચર્સનાં વેચાણ પર STTને 0.01% વધારીને 0.021 કરી દીધું છે. તો ઓપ્શંસનાં વેચાણ પર STTને 0.017%થી વધારીને 0.021% કરી દીધું છે. માર્કેટનાં જાણકારોનું કહેવું છે કે આ રોકાણકારોને મોટાપાયે અસર કરશે.આ પહેલાં નેશનલ સ્ટોક એક્સચેન્જે 'ડૂ નોટ એક્સસાઈસ'નો ઓપ્શન પણ હટાવી દીધો હતો.સરકારે એવા સમયમાં STTમાં ફેરફારો કર્યાં છે જ્યારે શેરબજાર ઉતાર-ચઢાણનાં સમયમાંથી પસાર થઈ રહ્યો છે.
સરકારને મળશે વધારે ટેક્સ
સરકારને એ વાતની આશા છે કે નાણાકીય વર્ષ 2024માં STTથી 27625 કરોડ રૂપિયાનો ટેક્સ મળશે. આ ગતવર્ષનાં રિવાઈઝ બજેટ અનુમાનની સરખામણીએ 10.5% વધારે છે. નાણાકીય વર્ષ 2023નાં બજેટમાં 20000 કરોડ રૂપિયાનાં STTનું કલેક્શન થવાની આશા હતી. જો કે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીનાં તેને વધારીને 25000 કરોડ રૂપિયા કર્યું હતું. નાણાકીય વર્ષ 2022માં STTથી સરકારને 23191 કરોડ રૂપિયા પ્રાપ્ત થયાં હતાં.