ઉત્તર પ્રદેશ પોલીસને એક મોટી સફળતા મળી છે. ઉત્તર પ્રદેશ પોલીસે પંજાબ પોલીસથી વાન્ટેડ ખાલિસ્તાની આતંકીઓના હથિયાર સપ્લાયરની ધરપકડ કરી છે. ઉત્તરપ્રદેશ એટીએસે હાપુડથી જાવેદ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જાવેદ જ ખાલિસ્તાની આતંકીઓને હથિયાર સપ્લાઇ કરતો હતો.
ઉત્તરપ્રદેશ એટીએસે હાપુડથી જાવેદ નામના વ્યક્તિની ધરપકડ કરી છે
ઉત્તરપ્રદેશ એટીએસને હાપુડમાં કલાકોની કાર્યવાહી બાદ જાવેદને પકડ્યો
ઉત્તરપ્રદેશ એટીએસને હાપુડમાં કલાકોની કાર્યવાહી બાદ જાવેદને પકડ્યો છે. એટીએસના દરોડાથી હાપુડમાં હડકંપ મચી ગયો. જ્યારે જાવેદ બચવા માટે માર્બલના ગોડાઉનમાં છુપાઇ ગયો હતો.
જાવેદે પૂછપરછમાં જણાવ્યું, વર્ષ 2016માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પંજાબ પ્રાન્તના ઉપ પ્રમુખ રિટાયર બ્રિગેડિયર જગદીશ કુમારની હત્યામાં સામેલ ખાલિસ્તાની આતંકી ધરમિન્દરને હથિયાર સપ્લાઇ કર્યા હતા. જગદીશ કુમારની હત્યાની તપાસ NIA કરી રહી છે.
હાલ તો જાવેદની પૂછપરછ કરાઇ રહી છે. સાથે જ ધરપકડ બાદ એટીએસની ટીમ મેરઠમાં દરોડા પાડી રહી છે. નોંધનીય છે કે ખાલિસ્તાની આતંકીઓનો હથિયાર સપ્લાયર જાવેદ મેરઠનો રહેવાસી છે.
પૂછપરછમાં ખુલાસો
પંજાબ પોલીસે ખાલિસ્તાની આતંકીઓને પકડ્યા હતા. આતંકીઓની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે મેરઠના રહેવાસી જાવેદ હથિયાર સપ્લાઇ કરે છે. જે બાદ ઉત્તરપ્રદેશ એટીએસે જાવેદની ધરપકડ કરી છે.