ગુજરાતના પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદે ફરી ભરતસિંહ સોલંકીનું નામ ચર્ચાય રહ્યું છે. બીજી તરફ અમિત ચાવડાએ સુરત કોંગ્રેસના માળખાને તાત્કાલિક વિખેરી નાંખતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
સુરત શહેર કોંગ્રેસનું માળખુ વિખેરાયું
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સૂચનાથી કાર્યવાહી
અચાનક માળખું વિખેરાતા અનેક તર્ક-વિતર્ક
તાત્કાલિક અસરથી સુરત શહેર કોંગ્રેસનું માળખુ વિખેરાયું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ચૂચનાથી કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ અમદાવાદ શહેર કોંગ્રેસનું માળખું તાત્કાલિક અસરથી પ્રદેશ પ્રમુખના આદેશથી વિખેરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં અમદાવાદ શહેર કોંગ્રેસનું માળખું વિખેરવામાં આવ્યું હતું. તાત્કાલિક અસરથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાના આદેશથી માળખું વિખેરવામાં આવ્યું હતું. માહિતી પ્રમાણે સ્થાનિક ધારાસભ્યોની નારાજગીના પગલે આ નિર્ણય કરાયો હતો.