ભારતમાં ચીનની મોબાઇલ હેન્ડસેટ કંપનીઓથી મળી રહેલી ગળા કાપ સ્પર્ધાની અસર બીજી કંપનીઓ પર દેખાઇ રહી છે. કોરિયાની દિગ્ગજ કંપની સેમસંગે ભારતમાં પોતાના કર્મચારીઓની સંખ્યામાં 1000 સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સેમસંગે પોતાના માર્જિન અને નફાને બચાવી રાખવા માટે પહેલા જ સ્માર્ટફોન અને ટેલીવિઝનની કિંમતમાં ઘટાડો કરવા મજબૂર થવું પડ્યું છે.
ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર અનુસાર, ત્રણ વરિષ્ઠ અધિકારીઓએ આ જાણકારી આપી છે. તેમના મુજબ દેશની સૌથી મોટી કન્જ્યૂમર ઇલેટ્રોનિક્સ અને મોબાઇલ ફોન મેકર કંપની સેમસંગે પોતાની કોસ્ટને તર્કસંગત બનાવવાની યોજના હેઠળ આ કરવું પડી રહ્યું છે. એમણે જણાવ્યું કે, સેમસંગ અત્યાર સુધીમાં ટેલીકોમ ડિવીઝનથી 150 કર્મચારીઓની છટણી કરી ચૂકી છે. અને ઓક્ટોબરમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.
સેમસંગ ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, કંપની ભારતીય કારોબાર માટે પ્રતિબદ્ધ છે. અને તમામ ક્ષેત્રે સારું રોકાણ કરશે. દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફોન ફેક્ટ્રી અહીં સ્થાપિત કરવામાં આવી રહી છે. અને 5જી નેટવર્કમાં રોકાણ કરી રહી છે. એમમે વધુમાં કહ્યું કે કંપની જેમ આગળ વધશે તેમ વધારે રોજગારનું સર્જન કરશે.
ભારતમાં 20000 કર્મચારી
એક અનુમાન અનુસાર, ભારતમાં સેમસંગના 20000 કર્મચારીઓ કાર્યરત છે. સમાચાર અનુસાર, સેમસંગના તમામ બિઝનેસ હેડે ઇન્ડિયન ઓપરેશન્સના પ્રેસિડેન્ટને ખરાબ પ્રદર્શન કરવાની સૂચી આપી છે. ઘણી સેક્ટરમાં તો કુલ ટીમ સ્ટ્રેન્થના 10 ટકા ભાગમાં છટણી થઇ શકે છે.
વર્ષ 2017-2018માં સેમસંગ ઇન્ડિયામાં સમસ્યા શરૂ થઇ, જેમા તેમના નેટ પ્રોફિટમાં ઘટાડો જોવા મળ્યો. ભારતમાં શાઓમી અને વન પ્લસ જેવી ચીની બ્રાન્ડની લોકપ્રિયતાથી સેમસંગના વેચાણને પડકાર મળી રહ્યો છે. આ કારણે કંપનીએ પોતાના સ્માર્ટફોન્સ અને ટીવીની કિંમતોમાં 25થી 40 ટકા ઘટાડો કરવો પડી રહ્યો છે.