ગાંધીનગરઃ નર્મદાના પાણી વપરાશ મુદ્દે સરકારે વિધાનસભામાં બહાર પાડેલા આંકડાને વિપક્ષે હથિયાર બનાવ્યું છે. સરકારે સ્વીકાર કર્યો છે કે 2017 ડિસેમ્બરમાં નર્મદામાં પાણીનો ઘટાડો થયો છે.
વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે. પરેશ ધાનાણીએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વર્ષ-2016 કરતાં 2017માં પાણીનો વેડફાટ વધારે થયો છે.
સરકારની પાણી અંગેની બેદરકારી ભરી નીતિને કારણે રાજ્યમાં ફરી વાર ટેન્કરરાજ શરૂ કરવાની નોબત આવી છે. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભાજપે ભોળા માણસોમાં ભ્રમ ઉભો કરી સરકાર બનાવી છે. આગામી સમયમાં ગુજરાતની જનતા ભાજપને જવાબ આપશે.