મધ્ય પ્રદેશમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસ બમણા થયા છે, હાલમાં રાજ્યમાં 11 હજાર 168 એક્ટિવ કેસ છે.
કોરોનાના અગાઉના એક અઠવાડિયાની સરેરાશ સંક્રમણ દર 6.3 ટકા છે, જે દેશના સાપ્તાહિક સરેરાશ દર 4.6 ટકા કરતા વધુ છે. શુક્રવારે મોડી સાંજે રાજ્ય સરકારે વિદિશા, ઉજ્જૈન, ગ્વાલિયર, નરસિંહપુર શહેરોની સાથે છીંદવાડા જિલ્લાના સૌન્સરમાં રવિવારે લોકડાઉનની જાહેરાત કરી છે. અગાઉ, રવિવારે ભોપાલ, ઈંદોર, જબલપુર, રતલામ, બેતુલ અને છીંદવાડા અને ખારગોનમાં રવિવારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ રીતે, હવેથી મધ્ય પ્રદેશના 12 શહેરોમાં રવિવારે લોકડાઉન લાગૂ રહેશે.
30 માર્ચથી અડધા કર્મચારીઓને ઇન્દોર અને ભોપાલ શહેરની સરકારી કચેરીઓમાં બોલાવવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. રોટેશન સિસ્ટમ પહેલાની જેમ લાગુ કરી શકાય છે. જે જિલ્લાઓમાં કોરોનાના 20થી વધુ કેસ છે ત્યાં હોલીકા દહન અને શબ-એ-બારાત કાર્યક્રમો પ્રતીકાત્મક રીતે જ કરવામાં આવશે.
શુક્રવારની રાતથી ભોપાલમાં રાત્રે 9 વાગ્યાથી નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. હોળી એટલે કે સોમવારના દિવસે અઘોષિત લોકડાઉન થશે. મકાનોની બહાર નીકળવા પર રોક લાગેલ છે. શુક્રવારે જિલ્લા ક્રાઇસીસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠક બાદ ભોપાલ કલેક્ટર અવિનાશ લવાણીયાએ નવી લોકડાઉન ગાઇડલાઈન બહાર પાડી હતી. તે તાત્કાલિક અસરથી અમલમાં આવી છે.
કોરોના સાથે લડાઈ માટે ટ્રિપલ વ્યૂહરચના
મુખ્ય પ્રધાન ચૌહાણે કહ્યું કે અમે રાજ્યમાં કોરોના ચેપને પહોંચી વળવા ત્રિપલ વ્યૂહરચના અપનાવીએ છીએ. પ્રથમ ચેપ અટકાવવા તમામ પગલાં લેવાનું છે, બીજું હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટેની શ્રેષ્ઠ પ્રણાલી પૂરી પાડવી અને ત્રીજું રાજ્યમાં ઝડપી રસીકરણ કરવું, જેથી કોરોના સંકટને ઓછું કરી શકાય. મુખ્યમંત્રીએ કહ્યું કે આખું લોકડાઉન અર્થવ્યવસ્થાને નષ્ટ કરે છે અને લોકોને બેરોજગાર બનાવે છે. અર્થતંત્રને નુકસાન ન પહોંચાડવાનો એ અમારો સંપૂર્ણ પ્રયાસ રહેશે અને અમે રાજ્યને કોરોનાના સંકટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી શકીશું. આ માટે જે પણ જરૂરી પગલાં લેવામાં આવશે, કરવામાં આવશે. રાજ્યના પહેલા ત્રણ જિલ્લા- ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં રવિવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. બુધવારે, તે સાત જિલ્લામાં લંબાવવામાં આવી હતી. બેતુલ, છિંદવાડા, રતલામ અને ખારગોન જિલ્લામાં પણ રવિવાર લોકડાઉન લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.