ઓમિક્રોન વેરિયન્ટ લઈને સુરત અને રાજકોટનું તંત્ર એકશનમાં આવી ગયું છે. જેમા તંત્ર દ્વારા બહારથી આવતા લોકોનો RT-PCR ફરજિયાત કરવામાં આવ્યો છે. સાથેજ તેમને 7 દિવસ ક્વોરન્ટાઈન પણ રહેવું પડશે
ઓમિક્રોનને લઈને સુરત અને રાજકોટનું તંત્ર એકશનમાં
વિદેશથી આવતા લોકોએ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાવો પડશે
ટેસ્ટ કરાયા બાદ મુસાફરોએ ફરજિયાત ક્વોરન્ટાઈન રહેવું પડશે
કોરોનાના નવા વેરિયન્ટને લઈને ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. જેમા સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ તંત્ર અત્યારથી એકશન મોડમાં જોવા મળી રહ્યું છે. ઓમિક્રોન વેરિયન્ટને લઈને હાલ વિશ્વભરમાં ભયનો માહોલ ફેલાયેલો છે. ત્યારે વિદેશથી આવતા લોકોને લઈને સુરત અને રાજકોટનું તંત્ર હવે એલર્ટ મોડમાં આવી ગયું છે.
વિદેશથી આવતા લોકો માટે RT-PCR ફરજિયાત
જો સુરતની વાત કરીએ તો મનપા દ્વારા ઓમિક્રોન વેરીયન્ટ લઈને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ખાસ કરીને સુરતમાં તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે વિદેશથી એરપોર્ટ આવતા લોકોએ ફરજિયાત RT-PCR ટેસ્ટ કરાવો પડશે. સાથેજ જે પણ લોકો બહારથી આવશે તે લોકોને 7 દિવસ માટે ફરજિયાત ક્વોરન્ટાઈન રહેવું પડશે.
નવા વેરિએન્ટને લઈને તંત્ર એકશનમાં
આપને જણાવી દઈએ કે સુરત મનપા દ્વારા એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, કે 7 દિવસ ક્વોરન્ટાઈન રહેલા લોકોએ આઠમાં દિવસે પણ ફરી આરટીપીસીઆર ટેસ્ટ કરવો પડશે. સુરતમાં શારજાહની ફ્લાઈટ આવી હતી. જેમા મુસાફરોના એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાવામાં આવ્યા હતા. જેથી કહી શકાય કે નવા વેરીએન્ટને લઈને મનપા તંત્ર એકશન મોડમાં આવી ગયું છે.
42 મુસાફરોનો ટેસ્ટ કરાયો
બીજી તરફ ઓમિક્રોન લઈને રાજકોટનું તંત્ર પણ એકશન મોડમાં આવી ગયું છે. છેલ્લા 3 દિવસમાં 42 લોકો રાજકોટ આવ્યા હતા. જેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. બધાજ મુસાફરોનો અમદાવાદ એરપોર્ટ પર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો અને હવે 7 દિવસ બાદ ફરીથી તેમનો ટેસ્ટ કરવામાં આવશે.
ઓમિક્રોનને લઈને લોકોમાં ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ઘણી ઘાતક સાબિત થઈ હતી. હાલ રાજ્યમાં સંક્રમણ ઘણું કાબૂમાં છે. પરંતુ ઓમિક્રોનને લઈને ફરીથી હવે ગુજરાતીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે આ નવા વેરિએન્ટને લઈને મોટા ભાગના શહેરોમાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.