રખડતા કુતરાના ત્રાસથી કંટાળીને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે.
રખડતા કુતરાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ હતી
સુનાવણી દરમિયાન કોર્ટે કરી હતી આ પ્રકારની ટિપ્પણી
કોર્ટે કહ્યું કે, કાયદા અનુરુપ કોઈ સમાધાન કાઢવું પડશે
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, લોકોની સુરક્ષા અને જાનવરોના અધિકારોની વચ્ચે સંતુલન બનાવી રાખવું જરુરી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જે લોકો રખડતા કુતરાને ખાવાનું ખવડાવે છે, તેમને રસી લગાવવા અને પશુઓ દ્વારા કોઈ પણ હુમલો કરવાની સ્થિતિમાં ખર્ચ ઉઠાવવા માટે જવાબદાર બનાવી શકાય છે. જે નિર્દોષ લોકો પર રખડતા કુતરાએ બટકા ભરે છે, તેમને પણ બચાવાની જરૂર છે.
કોઈ સમાધાન કાઢવું પડશે
રખડતા કુતરાને લઈને દાખલ થયેલી અરજી પર વિચાર કરતા જસ્ટિસ સંજીવ ખન્ના અને જેકે માહેશ્વરીની પીઠે કહ્યું કે, આનું કોઈ સમાધાન શોધવું પડશે. અને સમાધાન તાર્કિક હોવું જોઈએ. ત્યાર બાદ પીઠે આ મામલે સુનાવણી 28 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે.
ચિપ દ્વારા ટ્રેક કરી શકાય નહીં
આપણામાંથી મોટા ભાગ લોકો કુતરાને પ્રેમ કરતા હોય છે. હું પણ કુતરાને ખવડાવુ છું. મારા મગજમાં એક વાત આવી. લોકોએ ધ્યાન રાખવું જોઈએ, પણ તમને ચિન્હીત કરવા જોઈએ. ચિપના માધ્યમથી તેમને ટ્રેક કરી શકાય નહીં. હું તેમના પક્ષમાં નથી- જસ્ટિસ સંજીવ ખન્ના
કેટલીય જગ્યા પર સ્થાનિક નિગમે આપ્યા છે મારવાના આદેશ
કેરલ અને મુંબઈ સહિત કેટલીય જગ્યાઓ પર રખડતા કુતરાઓની સમસ્યા ગંભીર રુપ લઈ રહ્યું છે. તેને જોતા દેશની અલગ અલગ નિગમોએ રખડતા કુતરાને મારવાના આદેશ જાહેર કર્યા છે. આ મુદ્દા પર કેટલીય અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
કેટલીય હાઈકોર્ટે આપ્યા કાયદા મુજબ કાર્યવાહીના અધિકાર
અમુક બિન સરકારી સંગઠનો અને અન્ય લોકોએ બોમ્બે હાઈકોર્ટે અને કેરલ હાઈકોર્ટ સહિત વિવિધ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ પણ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ હાઈકોર્ટેએ નગર નિગમના અધિકારીઓને કાયદા મુજબ રખડતા કુતરાનું નિવારણ લાવવાની મંજુરી આપી છે.