2022નું શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ રાખવાની હેરફેર કરવા બાબતનો વિધેયક ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. ત્યારે આ બિલ રજૂ થતા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે.
ઢોર નિયંત્રણ વિધેયક 2022 ગૃહમાં રજૂ કરાયું
3 કરોડ વસ્તી શહેરોમાં વસે છે: વીનુ મોરડીયા
મારી સરકારને વિનંતી છે કે દંડની રકમ ઓછી કરવામાં આવેઃ નીતિન પટેલ
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. મહાનગરોમાં રખડતા ઢોરોને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘણી જગ્યાએ તો રખડતા ઢોરોનો આતંક એવો વધી ગયો છે કે જીવ ગુમાવવાના પણ બનાવો બન્યા છે. અવારનવાર પાલિકામાં રજૂઆતો કરવામાં આવી પરંતુ અત્યાર સુધી કોઇ નક્કર પગલા લેવાતા ન હતા. પરંતુ હવે રાજ્ય સરકાર આ મામલે સજાગ થઇ ગઇ છે. શહેરી વિસ્તારોને રખડતા પશુઓથી મુક્ત કરવાનું બિલ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયું છે.
પશુઓને લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છેઃ મંત્રી વીનુ મોરડીયા
રાજ્ય કક્ષાના શહેરી વિકાસ વિભાગના મંત્રી વીનુ મોરડીયાએ બિલ રજૂ કરતા કહ્યું કે, શહેરી વિસ્તારમાં વધતા જતા પશુઓના ત્રાસ અટકાવવા રજૂ કરું છું. વૃદ્ધ લોકો પર પશુઓએ હુમલા કર્યા છે. મહિલા અને બાળકો પર પશુઓએ હુમલા કર્યા છે. પશુઓને લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. 3 કરોડ વસ્તી શહેરોમાં વસે છે. શહેરમાં આખલા રઝળતા મુકવામાં આવે છે.
ઝૂંપડપટ્ટીમાં રહેતા પાસેથી આટલી મોટી રકમ ન લેવી જોઈએઃ નીતિન પટેલ
રખડતા ઢોર અંગેના રજૂ થયેલા બિલની કેટલીક જોગવાઈ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપત્તિ દર્શાવી છે. બિલનું વાંચન પૂર્ણ થતા જ નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રખડતા ઢોર અંગે સૂચવેલ દંડની રકમ વધારે છે. મારી સરકારને વિનંતી છે કે દંડની રકમ ઓછી કરવામાં આવે. અભણ અને ગરીબ લોકોના ઢોર રાખતા હોય છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા પાસેથી આટલી મોટી રકમ ન લેવી જોઈએ.
ઢોર નિયંત્રણ બિલમાં શું છે?
શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાઈસન્સ લેવું પડશે