પૌરાણિક કથાઓમાં ભગવાન રામના ચમત્કારનું વર્ણન ઘણી જગ્યાઓ પર કરવામાં આવ્યું છે. આ ચમત્કારોમાંથી એક છે ભગવાન રામના હાથે બનેલું તળાવ. તમને આ તળાવ વિશે ખબર છે? માન્યતા એવી છે કે આ તળાવમાં નહાવા માટે તમામ પ્રકારના ચામડીના રોગોથી મુક્તિ મળે છે. આવો જાણીએ કઈ રીતે બન્યું છે આ તળાવ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા..
રામકુંડ નામક આ તળાવ ઇંદૌર-અમદાવાદ રોડ પર ગોધરાથી લગભગ 15 કિલોમીટરના અંતરે ટુંઆ ગાંમમાં સ્થિત છે. માનવામાં આવે છે કે આ તળાવ મહાભારત અને રામાયણ સમયના છે.
અહીં 6 પીઢીથી ભગવાન રામની સેવા કરી રહેલા સંત હેમંત ગિરિના જણાવ્યા પ્રમાણે એક શાપના કારણે સરબંગ ઋષિને કોઢ થયા હતા. ભગવાન રામે તેમને શાપમાંથી મુક્ત કરાવવા માટે ધરતીમાં બાણ ચલાવ્યું હતું. આ પ્રભાવથી ધરતીમાં કુંડ બની ગયા. જેમાંથી એક કુંડમાં ગરમ પાણી તો એક કુંડમાં ઠંડું પાણી છે.
અહીં 108 કુંડ આવેલા છે અહીં સતત 5 અઠવાડિયા નહાવાથી ચામડીના રોગ દૂર થાય છે. અહીં આવીને રોગ દૂર થયા પછી શ્રાદ્ધાળુએ એક કુંડ બનાવવાનો હોય છે. એટલે કે અહીં રોજ 300થી 500 શ્રદ્ધાળુઓ સ્નાન કરવા માટે આવે છે. શ્રાવણ માસમાં અહીં ભક્તોની ભારે ભીડ હોય છે.
આ કુંડ વૈજ્ઞાનિકો માટે પણ પડકાર જનક છે. હજુ સુધી આ કુંડ વિશે કોઈ ઊંડાણમાં જાણી શક્યું નથી. આશ્ચર્યની વાત એ છે કે અહીં એક ફૂટના અંતરે પાણી ગરમ છે એ પણ ઉકળતું પાણી.
માનવામાં આવે છે કે દ્વાપર યુગમાં પાંડવો પણ અહીં સ્નાન કરવા માટે આવ્યા હતા. અહીંથી નજીક ભીમના પગની પણ પૂજા કરવામાં આવે છે.