દાર્જિલિંગમાં ચાલતી રામકથા દરમિયાન સૌરાષ્ટ્રના અસરગ્રસ્તો માટે મોરારિબાપુએ મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા 25 લાખનું દાન કરશે તેવી જાહેરાત કરી
દાર્જિલિંગમાં ચાલતી રામકથા દરમિયાન જાહેરાત કરી
મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા 25 લાખનું દાન કરશે
દાનની રકમથી અસરગ્રસ્તો માટે સહાય કરાશે
મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા 25 લાખનું દાન કરશે
છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં પડેલા અનારાધાર વરસાદને પગલે ભારે તારાજી સર્જાઈ છે. અને ઘણા લોકો અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા લોકોની મદદે કથાકાર મોરારી બાપુ આવ્યા છે. દાર્જિલિંગમાં ચાલી રહેલી કથા દરમિયાન મોરારી બાપુએ જાહેરાત કરી હતી કે, ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકો માટે તેઓ મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા 25 લાખની સહાય કરાશે જેનાથી સૌરાષ્ટ્રના જામનગર, ગીર, પોરબંદર, જૂનાગઢ સહિત આસ-પાસના અસરગ્રસ્તો વિસ્તારોમાં લોકોને સહાય મોકલાવશે.
સર્વે બાદ સહાય અંગે જાહેરાત કરાશે મુખ્યમંત્રી ભુપેન્દ્વ પટેલ
સૌરાષ્ટ્રમાં પડેલા અનારાધાર વરસાદના કારણે મુખ્યમંત્રીએ ગઈકાલે સૌરાષ્ટ્રની મુલાકત લીધી હતી.અને પરિસ્થિતીનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જામનગરમાં 41 હજાર હેકટર જમીનને પ્રાથમિક તબક્કે નુકસાન માહિતી મેળવી હતી. તેમજ 4700 થી વધુ લોકો ને સ્થળાંતરણ કરાયા છે, જેમાં જામનગરમાં શહેરમાં 724 ને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, 84 ગામોમાં વીજળીથી વંચિત તેમજ પશુધનને વ્યાપક નુકસાનની પણ માહિતી લીધી હતી. સાથે કુદરતના કહેરને સામે જનજીવન રાબેતા મુજબ થાય તે માટે ઝડપથી પ્રયાસ કરવાની તેમજ રસ્તાઓના સમારકામથી માંડીને નુકસાની સર્વ સુધીની આદેશ આપ્યા હતાં. તેમજ વધુમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સર્વે બાદ સહાય અંગે જાહેરાત કરાશે.