દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકની શોધમાં ખબર પડી છે કે કોરોનાની ત્રીજી લહેરનો અંતની શરુઆત આ જ અઠવાડિયે થઈ જશે. રિપોર્ટમાં જણાવ્યાનુસાર મુંબઈમાં 7 જાન્યુઆરીએ કોરોનાથી જોડાયેલા મામલા પીક પર હતા. આના 2થી 3 અઠવાડિયાની અંદર દેશમાં આ પીક પર આવી જશે.
એસબીઆઈ રિસર્ચ મુજબ દેશમાં રસીકરણની તેજ ગતિના કારણે કોરોના સંક્રમણની ત્રીજી લહેર વધારે લાંબી નથી ખેંચાઈ. તેમણે એમ પણ જણાવ્યુ કે ઓમિક્રોનના પગ પેસારાથી ગત અઠવાડિયામાં ભારતમાં કોરોબારી ગતિવિધિઓમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. મંગળવારે જારી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ભારતમાં 29 ડિસેમ્બર 2021થી કોરોના સંક્રમણના મામલા વધવા લાગ્યા છે.
આ પ્રકારે ઘટશે કોરોના
મુંબઈમાં 7 જાન્યુઆરી બાદથી નવા મામલા ઘટી રહ્યા છે. જ્યાં 20, 971 સુધી રોજ નવા મામલાની સંખ્યા પહોંચી હતી. જો કે પૂણે, બેંગ્લુરુ જેવા શહેકોમાં વધારે જોવા મળી રહ્યો છે. તેવામાં જો બાકીના જિલ્લામાં કોરોનાથી પહોંચી વળવા માટે કડક પગલા ભરવામાં આવે છે તો મુંબઈના પીકના 2-3 અઠવાડિય બાદ દેશમાં આની હાઈ પીક જોવા મળી શકે છે.
વસ્તીના 64 ટકાને સંપૂર્ણ રીતે વેક્સિનેટ થઈ
સોમવાર સુધી પ્રતિદિન સામે આવેલા નવા મામલાની સંખ્યા 238938 રહી. આનાથી સક્રિય મામલા 1656341 સુધી પહોંચી ગયા છે. પરંતુ ધ્યાન ભારતે પોતાની પાત્ર વસ્તીના 64 ટકાને સંપૂર્ણ રીતે વેક્સિનેટ કરી દીધી છે. ત્યારે 89 ટકાને ઓછામાં ઓછો રસીનો એક ડોઝ જરુર મળ્યો છે.
રસીકરણનો 7 દિવસનો સરેરાશ લગભગ 70 લાખ
આંકડા મુજબ હાજર સમયમાં રસીકરણનો 7 દિવસનો સરેરાશ લગભગ 70 લાખ છે. એસબીઆઈના કારોબારી ઈન્ડેક્સમાં આ વર્ષે 10 જાન્યુઆરીએ 109 હતો. જે 17 જાન્યુઆરીએ ઘટીને 101 રહ્યો છે. ગત વર્ષ 15 નવેમ્બર બાદ ન્યૂનતમ સ્તર છે. આ લહેરના પ્રસાર પાછળ એક અઠવાડિયામાં શાકભાજીની આવક અને રાજસ્વ સંગ્રહની ઈન્ડેક્સ પણ ભારે છે.
રાજ્યોમાં રસીકરણની ગતિ તેજ કરવાની જરુર
ગોવામાં રસીકરણ વધ્યું છે. રિપોર્ટ મુજબ દેશમાં 15-18 વર્ષના 3.45 કરોડ કિશોરોને કોરોનાની રસી તો 44 લાખને પ્રિકોશનલ ડોઝ અપાઈ ચૂક્યો છે. એસબીઆઈ રિસર્ચ અનુસાર આંધ્ર પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરલ, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને ઉત્તરાખંડે પહેલા જ પોતાની પાત્ર વસ્તીને 70 ટકાથી વધારે કોરોનાનો બીજો ડોઝ લગાવી દીધો છે. આ મામલામાં પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ હજું પણ પાછળ રહ્યા છે. આ રાજ્યોમાં રસીકરણની ગતિ તેજ કરવાની જરુર છે.