એક વર્ષ પુરુ થવા છતાં કોરોના વાયરસની મહામારીનો કોઈ ઈલાજ નથી. સમગ્ર દુનિયા પર તેનો કહેર યથાવત છે. આ બિમારીના સંક્રમણના મામલામાં ભારત બીજા નંબર પર છે. હાલમાં સરકાર દ્વારા જારી ડેટા અનુસાર દેશમાં 8 રાજ્યોમાં કોરોના વાયરસથી સૌથી વધારે મોત થઈ રહ્યા છે.
આ 3 રાજ્યોમાં કોરોના વાયરસના સૌથી વઘારે મોત થઈ રહ્યા છે
આઈસીએમઆરે હવે 2, 165 ટેસ્ટિંગ લેબોને કોરોનાના ટેસ્ટિંગની પરવાનગી આપી
આ 3 રાજ્યોમાં કોરોના વાયરસના સૌથી વઘારે મોત થઈ રહ્યા છે.
દેશભરમાં રવિવારે કોરોનાથી 444 નવા મોતની સાથે કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા 137173 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસથી 71 ટકા મોત દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, પંજાબ, કેરળ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં રવિવારે 89 મોત થયા છે. આ સાથે સૌથી વધારે મોત થનારું રાજ્ય બની ગયુ છે. દિલ્હીમાં કોરોના વાયરસથી 68 મોત, પશ્ચિમ બંગાળમાં 54 મોત થયા છે. 8 રાજ્યોમાંથી આ 3 રાજ્યોમાં કોરોના વાયરસના સૌથી વઘારે મોત થઈ રહ્યા છે.
ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટી રહ્યો છે.
દેશમાં 22 રાજ્યો એવા છે જ્યાં મુત્યુ દર રાષ્ટ્રીય ઔંસતથી 1.45 ટકા ઓછી થઈ ગઈ છે. રિપોર્ટ માટે કરવામાં આવેલા કોરોનાના કેસમાં જેટલા પણ મોત થયા છે. તે મૃત્યુ દર હોય છે. ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટી રહ્યો છે. ઓગસ્ટમાં આ 1.98 ટકા હતો ત્યારે હવે તે 1.45 ટકા થઈ ગયો છે. દુનિયાભરમાં તે પ્રતિ 10 લાખ કેસમાં સૌથી ઓછા મોત થઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયએ સોમવારે ટ્વીટ કરી કે જરુરી સાવધાનીના માધ્યમથી મૃત્યુ દર ઘટાડવામાં સફળતા મળી છે. જેનું પરિણામ છે કે પ્રતિદિન 500થી ઓછા મોત થયા છે. ભારતમાં પોતાની ટેસ્ટિંગ ક્ષમતાને વધારી છે. હવે તેને આ પ્રતિદિન 1 લાખ ટેસ્ટના આંકડાને પાર કરી દીધી છે.
આઈસીએમઆરે હવે 2, 165 ટેસ્ટિંગ લેબોને કોરોનાના ટેસ્ટિંગની પરવાનગી આપી
ગત 3 મહિનામાં ભારતમા ઓંસત 10 લાખથી વધારે ટેસ્ટ કર્યા છે. આઈસીએમઆરે હવે 2, 165 ટેસ્ટિંગ લેબોને કોરોના વાયરસના ટેસ્ટિંગની પરવાનગી આપી દીધી છે. જેમાં 1175 સરકારી લેબ અને 990 ખાનગી સેક્ટરની લેબ છે.