28 વર્ષની નિકિતા કોલ ભારતીય સેનામાં ભરતી થવા માટે પૂરતી તૈયારીઓ કરી દીધી છે. જમ્મુ- કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓની વિરુદ્ધ ચવવામાં આવેલા આતંકવાદી ઓપરેશનમાં મેજર વિભૂતિ શંકર ઢૌઢિયાલની પત્ની નિકિતા કૌલ હવે ભારતીય સેનામાં જોડાઈ દેશની સેવા કરશે. નોંધનીય છે કે ગત વર્ષ ફેબ્રુઆરીમાં પુલવામાં અટેકમાં જેશેના આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં મેજર વિભૂતિ શહીદ થયા હતા.
પુલવામા એન્કાઉન્ટરમાં મેજર વિભૂતિ શહીદ થયા હતા
મેજરની પત્ની મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે
પતિ માટે આર્મીમાં જોડાશે
એન્કાઉન્ટરમાં મેજર વિભૂતિ શહીદ થયા હતા
કાશ્મીરની નિકિતા કોલે એસએસસી (શોર્ટ સિલેક્શન કમિશન)ની પરિક્ષાની સાથે સાથે ઈન્ટરવ્યું પણ પાસ કરી દીધું છે. તે મેરિટ લીસ્ટ બહાર પડવાની રાહ જોઈ રહ્યાં છે. એ બાદ તે કેડર તરીકે આર્મીમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે તેમના લગ્નને એક વર્ષ પુરુ થયું હતું અને 18 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકવાદીઓ સાથેનાં એન્કાઉન્ટરમાં મેજર વિભૂતિ શહીદ થયા હતા.
તે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે
તેમનું કહેવું છે કે મારા શહીદ પતિને આ સાચી શ્રદ્ધાંજલી હશે. આ તેમની નજીક રાખવાનો મારો યોગ્ય નિર્ણય છે. કોલ દિલ્હીમાં માતા પિતા સાથે રહે છે અને મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. તે પતિની જેમ એક સારી અધિકારી બનાવા પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે.
જેનાથી પતિની નજીક હોવાનુ અનુભવી શકું
તેમણે એમ પણ કહ્યું છે કે, ‘હું નવી વસ્તુ શીખવા માંગુ છું. પતિના મોતના આઘાતમાંથી બહાર આવવા સમય લાગ્યો છે અને લઘુ સેવા આયોગ(એસએસસી) ની પરિક્ષા આપવાનો નિર્ણય કર્યો . ગત સપ્ટેમ્બરમાં ફોર્મ ભરવાનો નિર્ણય લીધો. તેમજ પતિની જેમ દેશ સેવા કરવાનો નિર્ણય કર્યો. જેનાથી પતિની નજીક હોવાનુ અનુભવી શકું.