આજે ભારતીય જનતા પાર્ટીનો 42મો સ્થાપના દિવસ છે. લોકસભામાં સૌથી મોટી પાર્ટી એક સમયે ફક્ત 2 સીટ જીતીની કરી હતી શરૂઆત.
BJPનો આજે સ્થાપના દિવસ
ફક્ત 2 સીટોની સફર 303 પહોંચી
સખ્ખત મહેનત અને પોતાના દમ પર આ મુકામ હાંસલ કર્યું
આજે ભારતીય જનતા પાર્ટીનો 42મો સ્થાપના દિવસ છે. વર્ષ 1980ની વાત છે. જ્યારે લોકસભા ચૂંટણીમાં જનતા પાર્ટીને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો. 1977માં જે પાર્ટીએ 295 સીટ પોતાના નામે કરી હતી, ત્રણ વર્ષ બાદ સમેટાઈને 31 સીટો પર આવી ગઈ. આ નિષ્ફળતાનો દોષ પાર્ટીના એ નેતાઓ પર થોપવાની કોશિશ થઈ, જે જનસંઘ સાથે જોડાયેલ હતા, ત્યારે 4 એપ્રિલે દિલ્હીમાં જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક થઈ, જેમાં પૂર્વ જનસંઘના સભ્યોને પાર્ટીમાં કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો. આપને જાણીને નવાઈ લાગશે, તેમાં અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી જેવા નામ પણ સામેલ હતાં.
પછી તો એવું થયું જેના વિશે કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહોતું. તેના ઠીક બે દિવસ બાદ 6 એપ્રિલ 1980ના રોજ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં એક નવા રાજકીય દળની જાહેરાત થઈ, જેનું નામ હતું ભારતીય જનતા પાર્ટી, આજે એ ઐતિહાસિક દિવસના 42 વર્ષ પુરા થઈ ચુક્યા છે. આજે અમને ભાજપના એ મહત્વના પડાવ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે એ જાણીશું કે, પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ફક્ત 2 સીટો જીતવાની શરૂઆત થયેલી આ સફર આખરે 20199માં કેવી રીતે 303 સીટો સુધી પહોંચી, તે ક્યા નિર્ણય હતા, જેના દમ પર ભાજપે ન ફક્ત ઈલેક્શન મશીન બની ગયું, પણ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સતત સમેટાતી ગઈ.
ધારાસભ્ય અને મતદારોની સંખ્યા વધી
જાણકારી અનુસાર જોઈએ તો, ભાજપના ધારાસભ્યો 900 ટકા અને વોટર્સ 1000 ટકા અને સાંસદ 15000 ટકા વધ્યા છે. આજે અમે ભાજપના મહત્વના પડાવ વિશે વાત કરીએ તો, એ જાણીશું કે, પ્રથમ લોકસભા ચૂંટણીમાં ફક્ત 2 સીટો જીતવાની શરૂઆતની આ સફર આખરે 2019માં કેવી રીતે 303 સીટો સુધી પહોંચી ગઈ.
ભાજપના 42 વર્ષના મહત્વના તબક્કા
પ્રથમ તબક્કો
1980- સત્તાધારી જનતા પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં 31 સીટો જીત્યા બાદ નિર્ણય કર્યો કે, પાર્ટી સભ્યોની બેવડા સભ્યપદ પર રોક લગાવામાં આવે. તેનો સ્પષ્ટ અર્થ એ હતો કે, જે પણ પાર્ટીના સભ્ય હશે, તે આરએસએસમાં રહી શકશે નહીં. જેના જવાબમાં જનસંઘના તમામ સભ્યોએ 6 એપ્રિલ, 1980માં ભારતીય જનતા પાર્ટી નામથી નવી પાર્ટી બનાવી, જેના સંસ્થાપક સભ્ય તરીકે અટલ બિહારી વાજપેયીની પસંદગી થઈ.
1984- ઈંદિરા ગાંધીની હત્યા બાદ દેશમાં સહાનુભૂતિની લહેર ઉભી થઈ, જે બાદ બાકીની પાર્ટીઓની સીટો ઓછી કરવાનું કામ કર્યું અને તેના કારણએ ભાજપને ફક્ત 2 સીટો જ આવી.
1986- લાલ કૃષ્ણ અડવાણીએ ભાજપની કમાન પોતાના હાથમાં લાધી અને 1990 સુધી તેના અધ્યક્ષ બની રહ્યા.
1986-1989- ભાજપે બોફોર્સ કૌભાંડમાં રાજીવ ગાંધી સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને એક મોટુ અભિયાન ચલાવ્યું.
1989- પાર્ટીની મહેનતની અસર દેખવાની શરૂ થઈ, સામાન્ય ચૂંટણીમાં ભાજપને 85 સીટો પર જીત નોંધાવી લીધી, ભાજપ અને કમ્યુનિસ્ટ પાર્ટીએ વીપી સિંહની કેન્દ્રમાં સરકાર બનાવી દીધી. તેની સાથે જ પાર્ટીએ રામ મંદિર માટે આંદોલન શરૂ કર્યું.
બીજો તબક્કો
1990- ભાજપના તત્કાલિન અધ્યક્ષ લાલ કૃષ્ણ અડવાણીએ 12 સપ્ટેમ્બરથી રામ રથયાત્રાની શરૂઆત કરી, જે સોમનાથથી શરૂ થઈ હતી. પછી બિહારના સમસ્તીપુરમાં 23 ઓક્ટોબરે અડવાણીની ધરપકડ થઈ. જે બાદ હજારોની સંખ્યામાં કારસેવકો 30 ઓક્ટોબર સુધી અયોધ્યા આવી ગયા. અહીં પર પોલીસે તેમના પર ગોળીઓ ચલાવી. જેનો વિરોધ કરતા ભાજપે વીપી સિંહની સરકાર પાસેથી સમર્થન પાછુ લઈ લીધું.
1991- ભાજપની સીટોની સંખ્યા વધી ગઈ અને સામાન્ય ચૂંટણીમાં તેમને 120 સીટો પોતાના નામે કરી. મુરલી મનોહર જોશીને અધ્યક્ષ બનાવામાં આવ્યા.
1993- ફરી એક વાર અડવાણી અધ્યક્ષ બન્યા. પાર્ટીને પસંદ કરનારા લોકોની સંખ્યા વધતી ગઈ. અને ભાજપ રાષ્ટ્રીય સ્તરે પસંદ થનારી પાર્ટી બનતી ગઈ.
1995- દિલ્હી, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ હવે ભાજપ કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર, ઓડિશા, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી દેખાવા લાગી.
1996- સામાન્ય ચૂંટણી થઈ અને ભાજપને 161 સીટો જીતી લોકસભામાં પોતાના દમ પર સૌથી મોટી પાર્ટી બની ગઈ. અટલ બિહારી વાજપેયી પીએમ પદ માટે શપથ લઈ ચુક્યા હતા. પણ પાર્ટી બહુમત મેળવી શકી નહીં. જેના કારણે ફક્ત 13 દિવસમાં તેમને રાજીનામું આપવું પડ્યું. બાદમાં જનતા દળના નેતૃત્વમાં ગઠબંધનવાળી સરકાર બની, જે ટકી શકી નહીં.
ત્રીજો તબક્કો
1998- વચ્ચગાળાની ચૂંટણીમાં ભાજપે એનડીએ નામનું ગઠબંધન બનાવ્યું, જેમાં કેટલાય દળ સામેલ થયા. તેમાં ભાજપનો આંકડો 182 સુધી આવી ગયો, જેથી વાજપેયી 272 સાંસદોના સમર્થન સાથે ફરી વાર સત્તામા આવ્યા અને પ્રધાનમંત્રી બન્યા.
1999- એપ્રિલમાં વાજપેયી એક મતથી બહુમત પ્રાપ્ત કરી શક્યા નહોતા. ત્યારે 3 મે કારગિલ યુદ્ધ શરૂ થયું. તે સમયે દેશમા અટલ સરકાર હતી, અને ભારતે યુદ્ધ જીતી લીધું. બાદમાં ભાજપને 303 સાંસદોન સપોર્ટ મળ્યો અને જેને લઈને વાજપેયી ત્રીજી વાર પીએમ બન્યા.
2004- કોંગ્રેસની આગેવાની વાળી યુપીએ સરકાર આવી. જેને 222 સીટો મળી હતી અને એનડીએને 186.
2009- ભાજપના સાંસદોનો આંકડો ઓછો થઈ ગયો અને 1116 પર આવી ગયા.
ચોથો તબક્કો
2014- આ વખતે ભાજપે 282 સીટો જીતી અને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા
2014 પુલવામાં હુમલા બાદ ભારતે બાલાકોટ એરસ્ટ્રાઈક કરી દીધી, પાકિસ્તાનનો વળતો જવાબ પણ કામ ન આવ્યો. બાદમાં ભાજપે પોતાના દમ પર એકલા 303 સીટ જીત અને ફરી એક વાર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા.