જો કોરોનાનું નવું સ્વરુપ આવે છે તો ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે કોરોનાની ત્રીજી લહેર ચરમ પર પહોંચી શકે છે.
લોકોને વ્યવહાર બહું મહત્વપૂર્ણ સાબિત થશે
કોરોનાની ત્રીજી લહેરને લઈને સૌથી મોટું સંકટ લોકોના વર્તન પર નિર્ભર છે
આવનારા 3 મહિના બહું મહત્વપૂર્ણ
લોકોને વ્યવહાર બહું મહત્વપૂર્ણ સાબિત થશે
વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે કોરોનાની ત્રીજી લહેરને લઈને સૌથી મોટું સંકટ ત્યારે થશે જ્યારે લોકો આવનારા તહેવારોની ઋતુમાં નિયમોનું પાલન કરવાનું ભૂલી જશે. વિશેષજ્ઞો અનુસાર ત્રીજી લહેરના સંબધમાં વાયરસના નવું સ્વરુપ નિર્ણાયક સાબિત થઈ શકે છે. કેમકે તહેવારો દરમિયાન ભીડમાં તેના ઝડપથી ફેલાવાની વધારે શક્યતા છે. એટલા માટે લોકોને વ્યવહાર બહું મહત્વપૂર્ણ સાબિત થશે.
ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે કોરોનાની ત્રીજી લહેર ચરમ પર પહોંચી શકે
મહામારીના ગણિતીય મોર્ડલ બનાવવામાં સામેલ એક વૈજ્ઞાનિકે ઓગસ્ટમાં આશંકા વ્યક્ત કરી હતી. જો ભારતમાં વાયરસના હાલના સ્વરુપોથી વધારે સંક્રમક કોઈ સ્વરુપ સપ્ટેમ્બરમાં સામે આવે છે તો ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે કોરોનાની ત્રીજી લહેર ચરમ પર પહોંચી શકે છે. કેમ કે તીવ્રતા બીજી લહેરની સરખામણીએ ઓછી રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.
આવનારા 3 મહિના બહું મહત્વપૂર્ણ
મેડિકલ વિજ્ઞાની અને સાર્વજનિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ચંદ્રકાંત લહરિયાએ કહ્યુ કે રોજના આવનારા કોરોનાના મામલામાં સતત ઘટાડો આવી રહ્યો છે તથા મોટાભાગના ભારતીય રાજ્યોમાં આ સ્થિર થઈ ગયો છે. પરંતુ સમગ્ર દુનિયામાં લોકોની ભીડ ભેગી થવાની સ્થિતિને જોઈને મામલામાં વધારો જોવા મળી શકે છે. એ પછી ભલે ઓછી સંખ્યામાં ભેગા થાય કે મોટી સંખ્યામાં. એટલા માટે આવતા 3 મહિના બહું મહત્વપૂર્ણ છે જેમાં અનેક ઉત્સવો આવશે. ખાસ કરીને એ લોકો જેમણે રસીના એક પણ ડોઝ નથી લીધા. કોઈ પણ ભીડભાડ વાળી જગ્યાઓ પર જવાથી બચો છો તો નવી લહેરને ટાળવાની શક્યતા છે. લહરિયાએ કહ્યું કે આવતા વર્ષે કેવું થશે રસીકરણ, કેવી હશે રોગપ્રતિકારક શક્તિ , શું રસી બાદ રોગ પ્રતિકારક ક્ષમતા બનેલી રહેશે. વાયરસનું કોઈ નવું સ્વરુપ સામે આવે છે અને કેટલાક અન્ય અજ્ઞાતકારકો અંગે બનતી વૈજ્ઞાનિક સમજ પર નિર્ભર કરશે.
સામાજિક અને ધાર્મિક આયોજનોથી ડેલ્ટા વાયરસ તેજીથી ફેલાઈ શકે
રસીકરણ પર નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપના કોરોના અધ્યક્ષ ડો. એન કે અરોડાએ કહ્યું કે સામાજિક અને ધાર્મિક આયોજનોથી ડેલ્ટા વાયરસ તેજીથી ફેલાઈ શકે છે. ત્યારે એમ્સે નિર્દેશક રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આ સમયે કોરોનાના મામલામાં તેજીથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને સ્થિતિ ઘણી સારી છે. જો કે આવનારા દિવસોમાં મામલામાં તેજીથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઘણી સારી સ્થિતિ જોવા મળી રહી છે. જો કે આવનારા દિવસોમાં તહેવારોમાં કોરોનાના નિયમોનું પાલન કરવામાં અછત, મોટા સ્તર પર ભીડ ભેગી થવી ત્રીજી લહેર માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે આવનારા 2-3 મહિનામાં દેશમાં સ્થિતિ સારી થઈ રહી છે તે જોતા લહેરને અટકાવવાની રણનીતિ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.