આવતીકાલે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કા માટે મતદાન યોજાશે. તે પહેલા રાજકીય પક્ષોમાં નિવેદનબાજી વધુ તીવ્ર થઈ ગઈ છે.
બંગાળ સીએમ મમતા બેનરજીની જીભ લપસી
પીએમ મોદીને લઈને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
બંગાળમાં આવતી કાલે યોજાઇ રહ્યું છે પ્રથમ ચરણનું મતદાન
આજે મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ વડા પ્રધાન મોદી વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. એક રેલીને સંબોધન કરતાં તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદીનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે.
પીએમ મોદીની ફક્ત દાઢી વધી રહી છે : મમતા બેનરજી
વધુમાં બંગાળ સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, દેશમાં ઔદ્યોગિક વિકાસ અટકી ગયો છે. ફક્ત તેમની (પીએમ નરેન્દ્ર મોદીની) દાઢી વધી રહી છે. કેટલીકવાર તે પોતાને સ્વામી વિવેકાનંદ કહે છે અને ક્યારેક તેના નામ પરથી સ્ટેડિયમનું નામ બદલી નાખે છે. તેના મગજમાં કંઇક ખોટું ચાલી રહ્યું છે. લાગે છે કે તેમનો સ્ક્રૂ ઢીલો છે. ''
#WATCH | Industrial growth has stopped. Only his (PM Narendra Modi's) beard is growing. Sometimes he calls himself Swami Vivekananda & sometimes renames stadiums after his own name. Something is wrong with his brain. It seems his screw is loose: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/3zn0v5BRXM
ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું હતું કે ભગવાન રામથી ચીડાતા 'દીદી' ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન ભગવા વસ્ત્રોથી ગભરાઈ રહ્યા છે. ગુરુવારે મેદિનીપુર અને ચંદ્રકોણામાં મમતા બેનરજીના મત વિસ્તારના નંદીગ્રામ સિવાય ત્રણ અલગ અલગ રેલીઓને સંબોધન કરતાં યુપી સીએમ યોગીએ કહ્યું હતું કે 2 મે પછી, ટીએમસીના ગુંડાઓને એક એક કરીને ઓળખી કાઢવામાં આવશે, અને તેમને નિયમ પ્રમાણે સજા કરવામાં આવશે.
તેઓ ગરીબોના પૈસા પણ ખાઈ ગયા : સીએમ યોગી
તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન ભગવા વસ્ત્રોથી દીદી ગભરાઈ રહ્યા છે. તેમણે મમતા સરકાર પર વાવાઝોડા પીડિતોની સહાય માટે કેન્દ્ર સરકાર દ્વારા મોકલેલા નાણાં ઝડપી લેવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ટીએમસીના તોલેબાઝ લોકો કેન્દ્રથી મોકલેલા પૈસા પણ ગરીબોને આપવાની જગ્યાએ ખાઈ ગયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું, મમતા દીદી ભગવાન રામથી પણ ચીડાય છે. તે જય શ્રી રામના નારા લગાવવાની મંજૂરી આપતી નથી. હું ભગવાન રામ અને કૃષ્ણની ભૂમિથી રામકૃષ્ણ પરમહંસની આ ભૂમિ પર આવ્યો છું."
પીએમ મોદીનો સ્ક્રૂ ઢીલો છે, દેશની વૃદ્ધિ અટકી પડી અને તેમની દાઢી વધી રહી છે, જુઓ કોણે કીધું
યોગીએ સભામાં ઉપસ્થિત લોકોને કહ્યું, તમારે મમતા બેનરજી પાસેથી દસ વર્ષનો હિસાબ માંગવો જોઈએ. તેમને પૂછવું જોઈએ કે જ્યારે ઉત્તર પ્રદેશમાં દુર્ગાપૂજા થઈ શકે છે, ત્યારે બંગાળમાં કેમ ન થઈ શકે. આજથી દસ વર્ષ પહેલાં, નંદિગ્રામમાં સામ્યવાદીઓએ કેટલું બધું કર્યું હતું, આજે હું તે શહીદોના પરિવારોને મળ્યો, દીદીને તે શહીદોની કોઈ જ ચિંતા નહોતી, જ્યારે કે તેમને તેમની પાસેથી જ સત્તા મળી છે.