કોરોનાનો કહેર દુનિયાભરમાં વણસી રહ્યો છે ત્યારે હવે કોરોનાના એપીસેન્ટર સમાન ચીનમાં પણ ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે. ચીનની રાજધાની બેઈજિંગમાં પણ કોરોનાના નવા કેસ સામે આવતાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ ચીને કોરોના મુક્ત હોવાનો દાવો કર્યો હતો. રાજધાની બેઈજિંગમાં 3 નવા કેસ સહિત કુલ 10 કેસ આવતાં ફરી લૉકડાઉન જાહેર કરાયું છે.
ચીનની રાજધાની બેઈજિંગમાં લૉકડાઉન જાહેર
કોરોનાના 3 નવા કેસ સહિત 10 કેસ આવતા લૉકડાઉન જાહેર કરાયું
ચીને કોરોના મુક્ત થવાનો કર્યો હતો દાવો
નવા કેસે વધારી બેઈજિંગની મુસીબત
બેઈજિંગમાં 56 દિવસ બાદ ગુરુવારે કોવિડ 19નો પહેલો કેસ સામે આવ્યો હતો. શુક્રવારે અહીં અન્ય 2 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ કેસના કારણે અધિકારીઓની ચિંતામાં વધારો થયો છે. 9 જૂને સાજા થયેલા છેલ્લા દર્દી બાદ શહેર સામાન્ય થયું હતું.
બેઈજિંગમાં સતત કેસ વધવાના કારણે શહેરની ચિંતા વધી છે. સરકારે એ નક્કી કર્યું હતું કે કોઈ આંતરરાષ્ટ્રિય ફ્લાઈટ કે વિદેશમાં ફસાયેલા ચીની નાગરિકોને પાછા લઈને આવતા વિમાન બેઈજિંગમાં લેન્ડ નહીં કરે. દરેક ફ્લાઈટને અન્ય શહેરોની તરફ ડાયવર્ટ કરવામાં આવી રહી છે. 14 દિવસોનું ક્વોરન્ટાઈન ફરજિયાત કરાયું છે.
તંત્રએ જણાવી આ વાત
તંત્રે શુક્રવારે જણાવ્યું છે કે ગુરુવારે જે વ્યક્તિનો કોરોના વાયરસ સંક્રમિત આવ્યો હતો તેનો ન્યૂક્લિક એસિડ અને એન્ટી બોડી તપાસ નેગેટિવ આવ્યા છે. જિલ્લા સ્વાસ્થ્ય આયોગે કહ્યું કે બેઈજિંગના શિચેંગ જિલ્લામાં સંક્રમિત મળ્યો છે. આયોગે કહ્યું કે દર્દીના પરિવારના 2 વ્યક્તિને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમનામાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. સરકારી એજન્સીના જણાવ્યા અનુસાર જે ક્લાસમાં વિદ્યાર્થી ભણતો હતો તેના 33 બાળકો અને 15 શિક્ષકોને પણ ઘરે મોકલવામાં આવ્યા છે. શાળાની આસપાસના લોકોને પણ અન્ય જગ્યાએ શિફ્ટ કરાયા છે અને કેમ્પસને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે.
ચીની સ્વાસ્થ્ય આયોગે કરી આ વાત
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે શુક્રવારે કહ્યું કે કોરોનાના 7 નવા કેસની પુષ્ટિ થઈ છે. ગુરુવારે ચીનમાં 83064 દર્દીની પુષ્ટિ થઈ છે. તેમાંથી 65 લોકો સામેલ છે. જેની સારવાર ચાલી રહી છે. કોઈ પણ દર્દીની હાલત સારી નથી. ચીનમાં 78365 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 4634 લોકોના મોત થયા છે.