કોરોના વાયરસ સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે તમિલનાડુ સરકારે લોકડાઉનને વધાર્યુ છે. રાજ્ય સરકારે રવિવારે એલાન કર્યુ કે લોકડાઉન 30 જૂન સુધી વધારવામાં આવી રહ્યું છે. આનાથી મઘ્ય પ્રદેશ, પંજાબ જેવા રાજ્ય પોતાના લોકડાઉનને વધારી ચૂક્યા છે.
પંજાબ, મધ્ય પ્રદેશ અને પ. બંગાળ લોકડાઉન 5ના સમયને વધાર્યો છે
કેન્દ્ર સરકારે લોકડાઉન 5ને અનલોક-1 નામ આપ્યુ છે
પંજાબ બાદ તમિલનાડુએ લોકડાઉન 30 જુન સુધી વધાર્યો
જોકે તમિલનાડુમાં લોકડાઉન વિસ્તાર દરમિયાન સાર્વજનિક પરિવહનની આશિંક છુટછાટ સહિત કેટલાય પ્રકારની છુટછાટ મળશે. મુખ્યમંત્રી કે. પલાનીસ્વામીએ કહ્યું કે ધાર્મિક સ્થળો, આંતરરાજ્ય બસ પરિવહન, મેટ્રો અને ઉપનગરીય રેલ પર પ્રતિબંધ અમલમાં રહેશે.
તેમણે કહ્યું કે, એક જૂનથી ઓછી સેવાઓ સાથે સાર્વજનિક પરિવહન ફરીથી શરુ થશે. પરંતુ રાજ્યમાં કોવિડ-19ના કેસમાં સૌથી વધારે સંખ્યાવાળા ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લૂર અને ચેંગલપેટ જિલ્લામાં બસોનું સંચાલન નહી કરવામાં આવે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે કર્ફ્યુને 30 જુન સુધી વધારવામાં આવે છે.
Lockdown will continue till June 30 in Tamil Nadu. All districts will be divided into 8 zones. E-pass not necessary for movement. Public transportation restricted in 7 zones of Kanchipuram, Chengalpattu and Thiruvallur district and 8 zones of Chennai: Tamil Nadu government
તમિલનાડુ તે રાજ્યોમાંથી એક છે. જ્યાં કોરોના ચેપથી વધારે અસરગ્રસ્ત થયા છે. શનિવારે રાજ્યમાં 938 નવા કેસ સામે આવ્યા હતા. આ રીતે અત્યાક સુધીમાં 21, 184 લોકોને ચેપ લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારને લોકડાઉન 5. 0ને અનલોક-1 નામ આપી અમલમાં મુકી ઘણી છુટ આપી હતી. તે સાથે પંજાબે લોકડાઉન -5ને 30 જુન સુધી અને મધ્ય પ્રદેશે 15 જુન સધી વધારવાની જાહેરાત કરી દીધી હતી. આ બાદ હવે તમિલનાડુ પણ 30 જુન સુધી લોકોડાઉન વધાર્યુ છે. બંગાળે 15 જુન સુધી લોકડાઉન વધાર્યુ છે.