દિલ્હીમાં કોરોના રોગચાળાએ હવે ભયંકર રૂપ ધારણ કર્યું છે. ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિને કારણે, રાજધાનીની હેલ્થ સિસ્ટમ તૂટી પડવાના આરે આવીને ઊભી રહી છે.
દિલ્હીમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસો આવઇ રહ્યા છે
કોરોનાના કેસોની સંખ્યા નિરંતર વધતી જ જઈ રહી છે
દિલ્હીમાં સંક્રમણના કેસોની વૃદ્ધિના કારણે બેડની સંખ્યા ઓછી પડે છે
દિલ્હીમાં કોરોના કેસોની સુનામીના લીધે ઘણી મોટી હોસ્પિટલોમાં કોરોનાની સ્પેશિયલ પથારીનો પણ અભાવ છે. શુક્રવારે LNJP હોસ્પિટલની તસવીરો જોઈને લોકો આઘાત પામી જાય તેવી તસવીરો વાયરલ થઈ છે. અહીં સરકારનો એવો દાવો છે કે દિલ્હીની હોસ્પિટલોમાં પથારીની કમી નથી, કોરોના સામેની લડતમાં મોખરે, સૌથી મોખરે ગણાતી LNJP હોસ્પિટલની એવી તસવીરો બહાર આવી છે કે પરિસ્થિતિનેકાબૂમાં લાવવા માટે બે દર્દીઓને એક જ પલંગ પર રાખવા પડે છે.
The number of COVID19 cases is rising rapidly. We are running at full capacity. We have more than 300 ICU beds here. Today, we have 158 patient admissions, all these patients had an oxygen saturation of less than 91: Medical Director, LNJP Hospital, Delhi
(15.04) pic.twitter.com/6TwDaaHaAM
LNJP હોસ્પિટલના સંજોગોને જોતા, આ નિશ્ચિત છે કે જો વધુ પલંગ જલ્દીથી વધારવામાં ન આવે તો, આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. શુક્રવારે LNJP હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટરએ કહ્યું કે કોરોના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમે સંપૂર્ણ ક્ષમતા પર કામ કરી રહ્યા છીએ. અમારી પાસે અહીં 300 થી વધુ આઇસીયુ બેડ છે. આજે અમારી પાસે 158 દર્દીઓ દાખલ છે, જેમાં તમામ દર્દીઓમાં ઓક્સિજનનું સ્તર 91 ની નીચે છે.
મહત્વનું છે કે દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે ગુરુવારે કહ્યું કે દિલ્હીની હોસ્પિટલોમાં પથારીની કમી નથી. હાલમાં 5,000થી વધુ પથારી ખાલી છે, પરંતુ પસંદગીની હોસ્પિટલોમાં જતા દર્દીઓને થોડી સમસ્યા ઉભી થઈ શકે છે. અમારો પ્રયાસ છે કે દિલ્હીના તમામ દર્દીઓને સારવાર અને બેડ મળી શકે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા શુક્રવારે કોરોના બાબતોના નોડલ પ્રધાન બનાવવામાં આવ્યા પછી આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન સાથે LNJP હોસ્પિટલમાં ગયા હતા અને તમામ HODને મળ્યા હતા અને સમીક્ષા કરી હતી.
LNJP अस्पताल में एक बेड़ पर दो मरीज़ों की इस दर्दनाक तस्वीर ने CM @ArvindKejriwal के झूठे दावों की पोल खोल दी है।
दिल्ली में स्वास्थ्य का बुनियादी ढांचा टूटने की कगार पर है और CM सिर्फ TV पर आने में व्यस्त हैं।
વિપક્ષી પાર્ટી ભાજપે આજે બહાર આવેલ આ તસવીરોને લઈને આમ આદમી પાર્ટી (આપ) સરકાર પર નિશાન સાધ્યું છે. દિલ્હી ભાજપે ટ્વિટ કર્યું છે કે, LNJP હોસ્પિટલમાં બેડમાં બે દર્દીઓની આ દર્દનાક તસવીરો સીએમ અરવિંદકેજરીવાલના ખોટા દાવાનો ખુલાસો કરે છે. દિલ્હીમાં હેલ્થ સિસ્ટમ તૂટી પડવાની અણી ઉપર છે અને સીએમઓ ફક્ત ટીવી પર જ વ્યસ્ત છે. કેજરીવાલ સરકાર આજ સુધી કેમ સૂઈ રહી છે તેનો જવાબ જનતા પૂછે છે. ''
બેડની ઉપલબ્ધતાની જાણકારી આપવા ઉપરાજ્યપાલે હેલ્પલાઈન શરૂ કરવા નિર્દેશ આપ્યો
દિલ્હીમાં કોરોના વાયરસના કેસોમાં થયેલા મોટા વધારાને ધ્યાનમાં રાખીને લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે શુક્રવારે લોકોને હોસ્પિટલોમાં પથારીની ઉપલબ્ધતા વિશે માહિતગાર કરવા માટે એક હેલ્પલાઈન ગોઠવવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નરે દર્દીઓ અને તેમની સાથે રહેલા લોકોના સહકાર માટે હેલ્પ ડેસ્ક સ્થાપવા પણ નિર્દેશ આપ્યો છે.