અરવિંદ કેજરીવાલે માતા પિતાની સાથે લીધો રસીનો પહેલો ડોઝ
અરવિંદ કેજરીવાલના માતા પિતાની ઉંમર 60 વર્ષથી વધારે છે. તેવામાં તેઓ નક્કી કરેલા દાયરામાં આવે છે પરંતુ અરવિંદ કેજરીવાલની ઉંમર 60 વર્ષથી ઓછી છે તેવામાં તેમના રસી લેવાનું કારણ ડાયબિટીસ છે. ડાયબિટીસને તે ગંભીર બિમારીઓમાં સામેલ કરવામાં આવી છે જેથી પીડિત 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને પણ કોરોના રસી લગાવી શકાય છે. આ કારણે કેજરીવાલે ગુરુવારે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ જઈને રસી લગાવી હતી.
कोरोना से छुटकारा पाने के लिए अब वैक्सीन उपलब्ध है, आज मैंने भी अपने माता-पिता के साथ LNJP अस्पताल जाकर वैक्सीन लगवाई। हमें किसी तरह की कोई परेशानी नहीं हुई।
दिल्ली और देश की जनता से मेरी अपील है कि जो लोग भी वैक्सीन लगवाने के पात्र हों आगे आकर वैक्सीन जरूर लगवाएं। pic.twitter.com/Ts3WxwfPOq
કોરોનાની રસી લીધા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે મે મારા માતા પિતાની સાથે કોવિડ 19 રસીનો પહેલો ડોઝ લીધો. અમને આ દવાથી કોઈ સમસ્યા કે અસહજતા નથી લાગી. હું તમામ લોકોને અપીલ કરુ છું કે પોતાના વારામાં જલ્દી જ રસી લગાવી લોય આનાથી ખચકાવાની કોઈ જરુર નથી. રસીકરણ કેન્દ્ર પર હાઈ સ્કિલ્ડ સ્ટાફ છે અને તમારે અહીં રસી લગાવવી જોઈએ. આ ઉપરાંત 45 વર્ષથી વધારે ઉંમરના તે લોકોને રસી લગાવવામાં આવી રહી છે જેઓ ગંભીર બિમારીથી પીડિત છે.
દિલ્હીમાં અત્યાર સુધી 3, 27, 355 લોકોને કોરોનાની રસી લગી ચૂકી છે
આ ઉપરાંત બચેલા હેલ્થવર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને આ રાઉન્ડમાં રસી લગાવાઈ રહી છે. 52 વર્ષીય અરવિંદ કેજરીવાલ ડાયબિટીક છે. Co-Win વેબસાઈટ પર રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ 45 વર્ષથી વધારે ઉંમરના લોકોના રસીકરણના સમયે પોતાની બિમારીનું પ્રમાણ આપવાનું હોય છે. આ અંતર્ગત રજિસ્ટર્ડ મેડિકલ પ્રૈક્ટિશનર તરફથી જારી કરવામાં આવેલા સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. બીજા રાઉન્ડમાં દેશભરમાં27 કરોડ લોકોને રસી લાગવાની છે. સરકારી આંકડાના મુજબ દિલ્હીમાં અત્યાર સુધી 3, 27, 355 લોકોને કોરોનાની રસી લગી ચૂકી છે.