મુંબઈમાં બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટ રાખવાનો મામલો વધારે ઘૂંચવાઈ રહ્યો છે. જાણો શું થયું આ કેસમાં.
જૈશ-ઉલ- હિંદે હવે અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક રાખવાથી ઈનકાર કરી દીધો
અંબાણીને જૈશે- ઉલ- હિંદથી કોઈ સંકટ નથી
પોલીસે સત્તાવાર રીતે જૈશ ઉલ હિંદના બેનરને શેર કર્યુ
જૈશ-ઉલ- હિંદે હવે અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક રાખવાથી ઈનકાર કરી દીધો
રવિવારે દાવો કરવામાં આવ્યો હતો કે આતંકી સંગઠન જૈશ-ઉલ-હિંદે વિસ્ફોટક રાખવાની જવાબદારી લીધી હતી. પરંતુ હવે આ મામલામાં વધું એક ટ્વીસ્ટ આવ્યો છે. જૈશ-ઉલ- હિંદે હવે મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક રાખવાથી ઈનકાર કરી દીધો છે.
પોલીસે સત્તાવાર રીતે જૈશ ઉલ હિંદના બેનરને શેર કર્યુ
એક સમાચાર મુજબ મુંબઈ પોલીસે સત્તાવાર રીતે જૈશ ઉલ હિંદના બેનરને શેર કર્યુ અને જેમાં કહેવામાં આવ્યું છે કે સંગઠન અંબાણીને કોઈ ધમકી નથી આપી અને મીડિયામાં આવેલા સમાચાર ફેક છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે મુંબઈમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરની બહાર લાવારિસ ગાડીમાં જિલેટિન સ્ટિક (વિસ્ફોટક પદાર્થ), મુંબઈ ઈન્ડિયન્સના લોકો અને એક ધમકી ભરેલી ચિઠ્ઠી મળી હતી.
અંબાણીને જૈશે- ઉલ- હિંદથી કોઈ સંકટ નથી
હવે મુંબઈ પોલીસે જે બેનર જારી કર્યુ છે તે મુજબ આતંકી સંગઠને કહ્યું કે તે કોઈ કુફ્રો પાસેથી પૈસા નથી લેતું અને તેમની મુકેશ અંબાણી સાથે કોઈ લડાઈ નથી. આ બેનરની ઉપર લખ્યુ છે કે અંબાણીને જૈશે- ઉલ- હિંદથી કોઈ સંકટ નથી. આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે અમારી લડાઈ ભાજપ અને આરએસએસના ફાંસીવાદથી છે.
જો કે પોલીસ તપાસમા લાગેલી છે
ત્યારે રવિવારે જારી કરવામાં આવેલી ચિઠ્ઠીમાં લખ્યુ હતુ. ટેલીગ્રામ એપ પર મળેલા લેટમાં કહેવામાં આવ્યું છે. અંબાણીના ઘરની પાસે એસયૂવી ઉભી રાખનાર યોગ્ય જગ્યાએ પહોંચી ગયો છે. આ ફક્ત ટ્રેલર હતુ અને પૂરી પિચ્ચર બાકી છે. એટલું જ નહીં અખલાકની હત્યા, ગુજરાતના રમખાણો અને દિલ્હીની હિંસાનો પણ ઉલ્લેખ કરાયો છે. પત્રમાં લખ્યુ છે કે હવે તમને એ વાતની આશ્ચર્ય થવું જોઈએ કે અમે કોણ છીએ. અમે એ જ અખલાક છીએ જેને તમે એક ગાય માટે મારી નાંખ્યો હતો. અમે એ લોકો છીએ જેમને દિલ્હીની હિંસામાં મારવામાં આવ્યા હતા. અમે એ બહેનો છીએ જેનો ગુજરાતમાં રેપ કરવામાં આવ્યો હતો. અમે તમારી રાતના ખરાબ સપના છીએ. અમે તમારા પડોસમાં છીએ. ઓફિસમાં છીએ. તમે લોકો એવી રીતે પાસ કરી નાંખો છો જેવી રીતે કોઈ સામાન્ય વ્યક્તિ હોય. અમે દરેક જગ્યાએ છીએ. અમે તમારા જેવા પ્રોસ્ટિટ્યૂટ કારોબારિયો સામે વાંધો છે. જેમણે ભાજપ અને આરએસએસના હાથે પોતાની આત્મ વેચી નાંખી છે.