અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા બાદ ત્યાંની જનતા માટે મેડિકલ સપ્લાઈનો પહેલો જથ્થો મોકલીને દિલ્હીએ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છ કે તે કાબુલના રાજનયિક દરવાજા પર પોતાના પગ રાખવામાં માંગે છે. ભારતે સંકટના સમયે અફઘાન લોકોને મદદ કરવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરુપ અફઘાનિસ્તાનના ચિકિત્સકીય સામગ્રીના રુપમાં માનવીય મદદ પુરી પાડી છે. 10 ભારતીયો અને 94 અફઘાન નાગિરકોને કાબુલથી દિલ્હી લાવનારા વિમાનના માધ્યમથી મેડિકલ સપ્લાયને અફઘાનિસ્તાન મોકલામાં આવ્યા.
આ જથ્થો કાબુલમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રતિનિધિને સોંપવામાં આવશે
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ જથ્થો કાબુલમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રતિનિધિને સોંપવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે અફઘાનિસ્તાનમાં પડકારપૂર્ણ માનવીય સ્થિતિને ધ્યાનમાં રાખી ભારત સરકારે અફઘાનિસ્તાન પાછા ફરી રહેલા એક વિમાનના માધ્યમથી મેડકલ સપ્લાયના રુપમાં માનવીય મદદ મોકલી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે. આ દવા કાબૂલમાં WHOના પ્રતિનિધિઓને સોંપવામાં આવશે અને કાબુલ સ્થિત ઈન્દિરા ગાંધી બાળ હોસ્પિટલમાં આપવામાં આવશે.
વિશ્વ ખાદ્ય કાર્યક્રમ હેઠળ ખાદ્ય સપ્લાય કરવામાં આવી રહ્યો છે
અંગ્રેજી અખબાર મુજબ ‘તાલિબાન શાસન’ અને અફઘાનિસ્તાનના લોકોની વચ્ચેના અંતરનો નિર્ણય થોડાક સમય પહેલા કરવામાં આવ્યો હતો. જેમાં ભારત, સંયુક્ત રાષ્ટ્ર અને તેમની એજન્સીઓના માધ્યમની જરુરી વસ્તુઓના સપ્લાયની સાથે અફઘાનિસ્તાનના લોકો સુધી પહોંચી. WHOના માધ્યમથી દવા અને વિશ્વ ખાદ્ય કાર્યક્રમ હેઠળ ખાદ્ય સપ્લાય કરવામાં આવી રહ્યો છે.
અફઘાનિસ્તાનની સરકાર અને લોકોની વચ્ચેનું અંતર સરળ ન રહ્યું
જોકે અફઘાનિસ્તાનની સરકાર અને લોકોની વચ્ચેનું અંતર સરળ ન રહ્યું. રિપોર્ટ અનુસાર સૂત્રોનું કહેવુ છે કે તાલિબાન, સંયુક્ત રાષ્ટ્ર એજન્સીઓ સુધી પહોંચને મજબૂતીથી નિયંત્રિત કરે છે તેવામાં ભારત ગત 4 મહિનામાં તાલિબાનના અધિકારીઓ સાથે સાવધાનીપૂર્વક, પર્દાની પાછળની વાતચીતમાં શામિલ થયુ. ભારત ઓગસ્ટના અંતમા અફઘાનિસ્તાન સુધી પહોંચનાર લોકોમાંથી એક હતુ. ભારતીય દૂત દીપક મિત્તલને ઓગસ્ટમાં સત્તાવાર રીતે તાલિબાનના દોહા કાર્યાલયના પ્રતિનિધિયો સાથે મુલાકાત કરી હતી. તાલિબાનીઓની આગેવાનીમાં મોહમ્મદ સ્ટેનકઝઈ કરી રહ્યા હતા. સ્ટેનકઝઈએ ભારતમાંથી અભ્યાસ કર્યો છે.