દિવંગત સીડીએસ જનરલ બિપિન રાવતને લઇ જનારું ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયુ અને તેમાંથી 14માંથી 13 યાત્રાળુઓના નિધન બાદ રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ માટે ભારતીય સેનાએ સ્થાનિક લોકોનો ધન્યવાદ માન્યો છે. સેનાએ કહ્યું કે પીડિતો માટે ગ્રામજનો 'ભગવાન' જેવા છે.
ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ ગ્રામજનોના કારણે જીવતા છે, આભાર
રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ માટે ભારતીય સેનાએ સ્થાનિકોનો આભાર માન્યો
પીડિતો માટે ગ્રામજનો 'ભગવાન' જેવા: ભારતીય સેના
ઘણાં ગ્રામજનોએ સેનાના જવાનોની મદદ કરી
મીડિયાના રિપોર્ટ મુજબ, ભારતીય સેનાએ કહ્યું, ઘણાં ગ્રામજનોએ સેનાના જવાનોની મદદ કરી. ગ્રામજનોની મદદ વગર 14 લોકોને સમયસર હોસ્પિટલ લઇ જઇ શકાયા નહોત. વાયુસેનાનો એક અધિકારી જીવતો છે અને બેંગલોરની એક હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. જો તે જીવતો છે તો ગ્રામજનોની દેનના કારણે છે. સેનાએ કહ્યું, ગ્રામજનો તમે 14 લોકો માટે ભગવાન જેવા છો. ખૂબ ખૂબ આભાર.
તામિલનાડુ સરકાર અને અલગ-અલગ વિભાગનો આભાર માન્યો
જનરલ ઓફિસર કમાન્ડિંગ હેડક્વાર્ટર દક્ષિણ ભારત, લેફ્ટિનેન્ટ જનરલ એ અરૂણે કહ્યું કે જીવતા રહેલા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ પોતાના જીવન માટે લડાઈ કરી રહ્યાં હતા. તેઓ અત્યારે જીવીત છે તે ગ્રામજનોના કારણે છે. તેમણે કહ્યું કે સભા અને સમારોહ માટે ગામમાં એક શેડ બનાવવામાં આવશે. તેમણે દક્ષિણ ભારતના મુખ્યાલય દ્વારા ગામને દત્તક લેવાની પણ જાહેરાત કરી અને કમ્બલ, રાશન સામગ્રી અને સૌર ઈમરજન્સી લેમ્પ વિતરણ કર્યા હતા. લેફ્ટિનન્ટ જનરલે તેના બચાવમાં તેમની ભૂમિકા માટે તામિલનાડુ સરકાર, મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અને અલગ-અલગ વિભાગોના સેક્રેટરીનો આભાર માન્યો.