રાજ્યસભામાંથી રિટાયર થઈ રહેલા ગુલામ નબી આઝાદે એક ઈન્ટર્વ્યૂહમાં તેમના અને પીએમ મોદીના સંબંધો અંગે ખુલાસો કર્યો છે. જેના કેટલાક અંશો આ પ્રમાણે છે.
એક કપ સાથે ચા પણ પીતા હતા વાતો પણ કરતા હતા
વાજપાયીએ કહ્યું કે .....પણ હું તેમને(આઝાદને) ઓળખું છુ
અમે દર 10-15 દિવસોમાં અલગ અલગ મુદ્દાઓ પર વાતચીત કરતા
રાજ્યસભામાંથી રિટાયર થઈ રહેલા ગુલામ નબી આઝાદના ભાજપમાં જોડાવાની અટકણો વચ્ચે તેમણે પીએમ મોદી સાથે તેમના સંબંધો અંગે એક ન્યૂઝ પેપરને વિસ્તારથી જણાવ્યું છે.
સવાલ - એવી અટકણો છે કે તમે ભાજપમાં જોડાઈ શકો છો?
ભાજપમાં જોડાવા અંગે ગુલામ નબી આઝાદે કહ્યું કે ભાજપમાં ત્યારે જોડાઈશ જ્યારે અમારા કાશ્મીરમાં કાળા બરફની વર્ષા થશે. ભાજપ જ કેમ, તે સમયે અન્ય કોઈ પાર્ટીમાં પણ જોડાવ. જે લોકો આ કહે છે અથવા અફવા ફેલાવે છે તે મને નથી ઓળખતા. જ્યારે રાજમાતા સિંધિયા વિપક્ષના ઉપનેતા હતા. ત્યારે તેમણે ઉભા થઈ ને મારા પર કેટલાક આરોપો લગાવ્યા હતા. હું ઉભો થઈ ગયો અને મે કહ્યું કે હું આરોપોને ગંભીરતાથી લઈ સરકાર તરફથી એક સમિતિની સલાહ આપવા ઈચ્છુ છું. જેની અધ્યક્ષતા અટલ બિહારી વાજપાયી કરશે. જેમાં રાજમાતા સિંધિયા અને લાલકુષ્ણ અડવાણી સભ્ય હશે. મે કહ્યું તેમણે 15 દિવસમાં રિપોર્ટ પૂરી કરવી જોઈએ અને જે પણ સજા હશે તેને હું સ્વીકાર કરીશ. પોતાનું નામ સાંભળતા જ વાજપાયી જી મારી પાસે આવ્યા અને મને પૂછ્યું આવું કેમ ? મે તેમને કહ્યું તો તેમણે ઉભા થઈને કહ્યું હું સદન અને ગુલામ નબી આઝાદની માફી માંગું છુ. કદાચ રાજમાતા સિંધિયા તેને(આઝાદ) નથી ઓળખતા પણ હું તેમને ઓળખું છુ.’
સવાલ- તમારી પોતાની પાર્ટીના લોકોએ તમારો કાર્યકાળ પુરો થવા પર શું કહ્યું?
પાર્ટી અધ્યક્ષે એક લાંબો પત્ર લખ્યો મારા કામને બિરદાવ્યું. તેમણે કહ્યું કે આપણે સંગઠનને મજબૂત કરવા માટે મળીને કામ કરવું પડશે અને તે બાદ હું તેમને મળ્યો. તેમણે કહ્યું કે આપણે ચૂંટણીની તૈયારી કરવી પડશે.
અમે એક બીજાને 90ના દાયકાથી ઓળખીએ છીએ. બન્ને મહાસચિવ હતા અને અમે વિભિન્ન વિચારોનું પ્રતિનિધિત્વ કરનારી ટીવી ડિબેટોમાં આવતા હતા. અમે ચર્ચાઓમાં પણ વૈચારિક રીતે લડતા હતા. પરંતુ જો અમે જલ્દી પહોંચી જતા તો એક કપ સાથે ચા પણ પીતા હતા વાતો પણ કરતા હતા. પછી અમે એક બીજાને મુખ્યમંત્રીઓની બેઠક, પ્રધાનમંત્રીઓની બેઠકો, ગૃહમંત્રીઓની બેઠકોથી વધુ ઓળખતા થયા. ત્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હું સ્વાસ્થ્ય મંત્રી હતો અને અમે દર 10-15 દિવસોમાં અલગ અલગ મુદ્દાઓ પર વાતચીત કરતા હતા.
સવાલ- રાજ્યસભામાં તમે અને પીએમ મોદી કેમ રડ્યા?
અમે બન્ને એટલા માટે નથી રડ્યા કે અમે બન્ને એકબીજાને ઓળખત નહોંતા પરંતુ તેનું કારણ હતું 2006માં એક ગુજરાતી પ્રવાસી બસ પર કાશ્મીરમાં હુમલો થયો હતો અને હું એ વાત કરતા ભાવુક થઈ ગયો હતો અને રડવા લાગ્યો હતો. પીએમ કહી રહ્યા હતા કે આ એક શખ્ત રિટાયર થઈ રહ્યો છે જે એક સારો વ્યક્તિ પણ છે. તે સ્ટોરી પુરી ન કરી શક્યા કેમ કે ભાવુક થઈ ગયા અને જ્યારે મે સ્ટોરીને પુરી કરવા ઈચ્છી તો હું પણ ન કરી શક્યો. કેમ કે મને લાગે છે કે હું 14 વર્ષ પહેલા તે પળમાં પાછો ચાલ્યો ગયો હતો જ્યારે હુમલો થયો હતો.