ટિકરી બોર્ડર બાદ હવે ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેડ હટાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે.
ગાઝિયાબાદથી દિલ્હી આવનારો રસ્તો ખુલી શકે છે
પોલીસે ગાઝીપુરબોર્ડર પરથી બેરિકેડ હટાવ્યા
પોલીસે સૌથી પહેલા કાંટાળા તાર હટાવવાનું શરુ કર્યુ
ગાઝિયાબાદથી દિલ્હી આવનારો રસ્તો ખુલી શકે છે
બેરિકેડ હટાવ્યા બાદ ગાઝિયાબાદથી દિલ્હી આવનારો રસ્તો ખુલી શકે છે. હાલમાં આ રસ્તા પર કૃષિ કાયદાને પાછો લેવાની માંગને લઈને મહિનાઓથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. હાલમાં ફક્ત બેરિકેડ હટી રહ્યા છે. પ્રદર્શનકારી ખેડૂત હજું ત્યાં જ અડેલા છે.
#WATCH | Police barricading being removed from Ghazipur (Delhi-Uttar Pradesh) border where a farmers' agitation against the three farm laws is ongoing. pic.twitter.com/0rLUZvIuMW
મળતી જાણકારી મુજબ ગાઝીપુર બોર્ડર પર પોલીસે સૌથી પહેલા કાંટાળા તાર હટાવવાનું શરુ કર્યુ. આની પહેલા ગુરુવારે રાતે ટિકરી બોર્ડર પરથી બેરિકેડિંગ હટાવવાની શરુઆત કરી હતી.
This is Sector 2 and 3. It is NH9, we are opening that. NH 24 will also be opened: DCP (East), Delhi, Priyanka Kashyap pic.twitter.com/DUkiU6AhKs
સરકાર તરફથી આદેશ હોવાથી અમે બેરિકેડિંગ હટાવી રહ્યા છીએ- પોલીસ અધિકારી
દિલ્હી બોર્ડરની નજીક ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોના ધરણા સ્થળ પર લાગેલા બેરિકેડિંગને પોલીસે હટાવ્યા હતા. એક પોલિસ અધિકારીએ જણાવ્યું કે સરકાર તરફથી આદેશ છે એટલા માટે અમે બેરિકેડિંગ હટાવી રસ્તો ખોલી રહ્યા છીએ.
Police barricading being removed from Ghazipur (Delhi-Uttar Pradesh) border where a farmers' agitation against the three farm laws is underway.
A Police personnel at the spot says, "The barricades are being removed, the route is being opened. We received the orders." pic.twitter.com/Au2XN6uvmp
આશા છે કે જલ્દી રસ્તો સામાન્ય માણસો માટે ખોલવામાં આવશે- અસ્થાના
પોલીસ બેરિકેડ કેમ લગાવ્યા હતા તેના સવાલના જવાબમાં દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ કહ્યું કે આ બેરિકેડ નોયડામાં લો એન્ડ ઓર્ડરની સિચ્યૂએશનને જોતા લગાવવામાં આવ્યા હતા. હવે ખેડૂતો સાથે વાતચીત થઈ રહી છે અને આશા છે કે જલ્દી રસ્તો સામાન્ય માણસો માટે ખોલવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી હતી નારાજગી
ઉલ્લેખનીય છે કે આની પહેલા સુપ્રીમ કોર્ટમાં મામલાની સુનવણી થઈ હતી. કોર્ટે પ્રદર્સનકારીઓ દ્વારા રસ્તાને બ્લોક કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતુ કે લાંબા સમય સુધી આ રીતે કોઈ રસ્તાને બંધ ન કરી શકાય. કેમ કે આમાં સામાન્ય લોકોને સમસ્યા આવે છે. આ બાદ ગાઝીપુર બોર્ડર પર રાકેશ ટિકૈતે પોતાના કેટલાક ટેંટ હટાવી એ જોવાનો પ્રયાસ કર્યો હતો કે રસ્તો ખેડૂતોએ નહીં પરંતુ પોલીસે બેરિકેડ લગાવીને બંધ કર્યો છે. ટિકૈતના એસ આરોપ બાદ હવે પોલીસે પહેલા ટિકરી અને હવે ગાઝીપુરમાંથી બેરિકેડ હટાવવાનું શરુ કર્યુ છે.