અમેરિકાએ મેસેજ સાથે #USIndiaDosti પણ લખવામાં આવ્યુ
10 દિવસથી દર રોજ 3 લાખથી વધારે કોરોનાના એક્ટિવ કેસ
શુક્રવારે સવારે અમેરિકાથી મદદ લઈને વિમાન દિલ્હી ઉતર્યુ છે. ભારતમાં લગભગ 10 દિવસથી દર રોજ 3 લાખથી વધારે કોરોનાના એક્ટિવ કેસ મળ્યા છે. આ દરમિયાન 400 ઓક્સિજન સિલેન્ડર્સ, લગભગ 10 લાખ કોરોના ટેસ્ટ કિટ અને અન્ય ઉપકરણોને લઈને અમેરિકાથી વિમાન ઈન્ટરનેશનલ એરપોર્ટસ પર પહોંચી ગયુ છે. અમેરિકન દૂતાવાસે આની જાણકારી આપી છે. અમેરિકન દૂતાવાસ તરફથી કરવામાં આવેલી ટ્વીટમાં લખ્યુ છે અમેરિકા તરફથી કોરોનાની રાહત લઇને પહેલુ વિમાન ભારત પહોંચી ગયુ છે. ગત 70 વર્ષોની દોસ્તીમાં અમેરિકા હંમેશા ભારતની સાથે રહ્યુ છે. કોરોના સંકટમાં અમે સાથે છીએ. આ સાથે #USIndiaDosti પણ લખવામાં આવ્યુ છે.
The first of several emergency COVID-19 relief shipments from the United States has arrived in India! Building on over 70 years of cooperation, the United States stands with India as we fight the COVID-19 pandemic together. #USIndiaDostipic.twitter.com/OpHn8ZMXrJ
અમેરિકન અધિકારીઓએ કહ્યુ કે આવનારા દિવસોમાં અમેરિકન કંપનીઓ અને લોકો તરફથી ડોનેટ કરવામાં આવેલા ઉપકરણોને લઈને વિમાન આવશે. આ અઠવાડિયામાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને કોરોનાની જંગમાં ભારતને સમર્થનનું એલાન કર્યુ હતું. એક ટ્વીટમાં બાયડને લખ્યુ હતુ કે, જૈમ ભારત કોરોનાની શરુઆતમાં અમેરિકાની મદદ કરી હતી. જ્યારે હોસ્પિટલ દબાણમાં હતા. હવે ભારતની આ જરુરીયાતના સમયે અમે તેમની સાથે છીએ. અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસને ગુરુવારે કહ્યુ કે આવનારા દિવસોમાં ભારતને 100 મિલિયન ડોલરનો સપ્લાય મોકલશે.
અમેરિકા તરફથી ભારતમાં ઈમરજન્સી મદદ આપવામાં આવી રહી છે
આની પહેલા સોમવારે પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનની વચ્ચે વાતચીત થઈ હતી. આ વાર્તા બાદ પીએમ મોદીએ ટ્વીટ કરી હતી કે અમે બન્ને દેશોના કોરોના સંકટને લઈને વાત કરી છે. ભારતને અમેરિકા તરફથી કરવામાં આવી રહેલી મદદને લઈને મે પ્રેસિડેન્ટ જો બાયડનનો આભાર માન્યો છે. વ્હાઈટ હાઉસ તરફથી જારી એક નિવેદનમાં કહ્યુ છે કે રાષ્ટ્રપતિ અમેરિકા તરફથી ભારતને પૂર્ણ સહયોગ આપવાની અપીલ કરી છે. જે કોરોના સંક્રમણની નવી લહેરથી પ્રભાવિત છે. અમેરિકા તરફથી ભારતમાં ઈમરજન્સી મદદ આપવામાં આવી રહી છે. જેમ કે ઓક્સિજન સાથે જોડાયેલી સપ્લાય. રસી મટિરિયલ વગેરે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
દેશમાં સંક્રમણના કુલ કેસ 1,87,54,984 થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ એક્ટિવ કેસની સંખ્યા 30 લાખને પાર પહોંચી ગઈ છે. મૃતકોની સંખ્યા 2, 08, 313 થઈ ગઈ છે. સતત મામલા વધવાથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 31,64,825 થઈ ગઈ છે. આંકડામાં જણાવ્યાનુસાર બિમારીમાંથી સાજા થનારાની સંખ્યા 1,53,73,765 થઈ ગઈ છે.