ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે બુધવારે દાવો કર્યો કે જ્યારે તે મહારાષ્ટ્રના સીએમ હતા તો વર્ષ 2018માં શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેને ફરી ફરજ પર લેવા કહ્યું હતુ. તેમણે આરોપ લગાવ્યો હતો કે શિવસેનાએ આ મુદ્દા પર તેમના પર દબાણ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીએ દક્ષિણ મુંબઈ સ્થિત નિવાસ સ્થાનની નજીક 25 ફેબ્રુઆરીના વિસ્ફોટકની સાથે એસયૂવી કાર મળી હતી. જેમાં સચિન વાજેની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરાઈ છે.
શિવસેનાના કેટલાક નેતાઓએ આ રજુઆત મુલાકાત કરીને કરી
ફડણવીસે કહ્યું કે હું વર્ષ 2018માં રાજ્યનો સીએમ હતો અને ગૃહ વિભાગ મારા હસ્તક હતુ. શિવસેના અધ્યક્ષે મારો સંપર્ક કરી સસ્પેન્ડ કરાયેલા સચિન વાજેને ફરી ફરજ પર લેવા કહ્યુ હતુ. તો શિવસેનાના કેટલાક નેતાઓએ આ રજુઆત મુલાકાત કરીને કરી. તેમણે કહ્યું કે જ્યારે વાજેને ફરી ફરજ પર લાવવાના પ્રસ્તાવ પર મે વકીલને બોલાવીને મૌખિક રીતે સલાહ માંગી તો તેમણે કહ્યું કે મુંબઈ હાઈકોર્ટના આદેશ પર વાજેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી મે તેને ફરજ પર ન લેવાનો નિર્ણય કર્યો.
શિવસેનાએ આ મુદ્દાને દબાવવાનો પ્રયાસ કર્યો
વિધાનસભાના ફડણવીસે આરોપ લગાવ્યો કે શિવસેનાએ આ મુદ્દાને દબાવવાનો પ્રયાસ કર્યો. વર્ષ 2014થી 2019 સુધી રાજ્યમાં ભાજપ અને શિવસેનાની સરકાર હતી. પૂર્વ સીએમે કહ્યું કે શિવસેનાએ કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવ્યા બાદ ગંભીર આરોપોથી ઘેરાયેવા વાજેને ફરી ફરજ પર લીધો. તેમણે કહ્યું કે મનસુખ હિરેનથ કેટલીક જાણકારી મળી છે કે તેના ફેંફડામાં પાણી નથી મળ્યું જેનો મતલબ છે કે પહેલા તેની હત્યા કરાઈ પછી તેની બોર્ડીને પાણીમાં ફેંરવામાં આવી.
લોકો હિરેનની લાશને ઠેકાણે પાડવા ઈચ્છતા હતા
ફડણવીસે આરોપ લગાવ્યો કે જે લોકો હિરેનની લાશને ઠેકાણે પાડવા ઈચ્છતા હતા. તેમને ઓટ દરમિયાન તેને બહેવડાવાનો પ્રયાસ કર્યો પરંતુ ઓછી ઓટ દરમિયાન લાશને ખાડીમાં ફેંકી જેના કારણે તે મળી. જો ભારે ઓટમાં ફેંકત તો લાશ ન મળતી. તેણે કહ્યું આ ષડયંત્ર છે.
વાજે અને પરમવીર સિંહ તો માત્ર રમતના પ્યાદા છે
ફડણવીસે કહ્યું કે વાજે અને પરમવીર સિંહ તો માત્ર રમતના પ્યાદા છે. તેમાં સત્તાના વરિષ્ઠ લોકો સંડોવાયેલા છે. તે જૂનિયર અધિકારી હોવા છતાં તેને ક્રાઈમ બ્રાન્ચમાં મહત્વનું પદ આપવામાં આવ્યુ. તેનો મતલબ છે કે વાસે પાસે કોઈ સંવેદનશીલ જાણકારી છે જેના કારણે મંત્રી પણ દબાણમાં છે. ભાજપ નેતાએ કહ્યું કે અંબાણીના ઘર પાસે વિસ્ફોટ, મનસુખની મોત એક બીજા સાથે સંકળાયેલું છે. હિરેનના મોતનો મામલો એટીએસએ પોતાના હાથમાં લઈ લેવો જોઈએ.