મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કોવિડ 19ના કેસમાં ખતરનાક વધારાને જોતા સરકાર કેટલાક આકરા નિર્ણય લઈ શકે છે.
ઉત્તર મહારાષ્ટ્રના કેટલાક દિવસોમાં સંક્રમણ માટે નવા મામલાની સંખ્યા વધી
સરકાર કેટલાક આકરા નિર્ણય લઈ શકે
3 ટીનાં સૂત્રને કડકાઈથી લાગૂ કરવુ પડશે
ઉત્તર મહારાષ્ટ્રના કેટલાક દિવસોમાં સંક્રમણ માટે નવા મામલાની સંખ્યા વધી
મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કોવિડ 19ના કેસમાં વધારાને ખતરનાક મનાઈ રહ્યું છે. ઉપ મુખ્યમંત્રી અજીત પવારે સોમવારે લોકોને ચેતવ્યા હતા કે સરકાર કેટલાક આકરા નિર્ણય લઈ શકે છે અને એટલા માટે લોકોએ તૈયાર રહેવું જોઈએ. પૂર્વ મહારાષ્ટ્રમાં વિદર્ભ ક્ષેત્રે કેટલાક જિલ્લા, ખાસ કરીને અમરાવતી અને નાગપુર તથા ઉત્તર મહારાષ્ટ્રના નાસિકમાં ગત કેટલાક દિવસોમાં સંક્રમણ માટે નવા મામલાની સંખ્યા વધી છે.
પવાર 8 જિલ્લાની સમીક્ષા બેઠક માટે ઓરંગાબાગમાં હતા
પત્રકારો સાથે વાત કરતા પવારે લોકોને મહામારીથી બચવા માટે ઉપયુક્ત વ્યવહારનું પાલન ન કરવા અને દિશા નિર્દેશોનું ઉલંઘન કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યના નાણામંત્રી પવાર મરાઠાવાડા વિસ્તાર અંતર્ગત આવનારા 8 જિલ્લાની સમીક્ષા બેઠક માટે ઓરંગાબાગમાં હતા.
આ મુદ્દા પર આજે રાત મુંબઈમાં સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરવામાં આવશે
તેમણે કહ્યું કે મને જાણવા મળ્યું છે કે લોકો કોવિડ 19 દિશાનિર્દેશોનું પાલન નથી કરી રહ્યા. જે સંક્રમણના પ્રસારને રોકવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યા છે. જો સ્થિતિ ખરાબ થાય છે તો અમને તેની બેદરકારી માટે કિંમત ચૂકવવી પડી શકે છે. રાજ્યમાં નવા મામલાની સંખ્યા ચિંતાજનક છે. અમે જોયું કે મહામારીની બીજી લહેરને ધ્યાનમાં રાખીને દુનિયાના અનેક ભાગોમાં ફરી લોકડાઉન લગાવવામાં આવ્યુ. પવારે કહ્યું કે આ મુદ્દા પર આજે રાત મુંબઈમાં સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરવામાં આવશે.
રાજ્યમાં મૃતકોની સંખ્યા 51529 સુધી પહોંચી ગઈ
તેમણે કહ્યું કે આકરા નિર્ણય લઈ શકાય છે લોકો તૈયાર રહે. જો સમય પર કેટલાક નિર્ણય ન લેવામાં આવ્યા તો અમારે પછીથી ભારે કિંમત ચૂકવવી પડશે. મહારાષ્ટ્ર સરકારના અનુસાર રાજ્યમાં રવિવારે કોરોના વાયરસ સંક્રમણના 4092 નવા મામલા સામે આવ્યા છે. જેનાથી સંક્રમણના કુલ મામલા વધીને 2064278 સુધી પહોંચી ગયા. જ્યારે 40 વધુ મોત થવાથી રાજ્યમાં મૃતકોની સંખ્યા 51529 સુધી પહોંચી ગઈ છે.
અત્યાર સુધી 1975603 લોકો સાજા થયા
રાજ્યમાં અત્યાર સુધી 1975603 લોકો સાજા થયા છે. તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા)ના વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે સરકારે શિવાજી જયંતી સમારોહ માટે 100 લોકોને ભેગા થવાની પરવાનગી આપી છે. પરંતુ વિપક્ષ કહે છે કે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. મહામારીના સમયે લોકોના જીવનને બચાવવું મહત્વપૂર્ણ છે. ગત વર્ષ લોકોએ પોતાના ઘરેમાં તહેવાર મનાવ્યો હતો.
3 ટીનાં સૂત્રને કડકાઈથી લાગૂ કરવુ પડશે
આ દરમિયાન રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેસ ટોપેએ સોમવારે ઔરંગાબાદમાં કહ્યું કે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં કોવિડ-19 મામલામાં વુદ્ધિને પહોંચી વળવા માટે ટ્રેસિંગ( પરિક્ષણ પ્રક્રિયા), ટેસ્ટ અને ટ્રીટમેન્ટ ના 3 ટીનાં સૂત્રને કડકાઈથી લાગૂ કરવુ પડશે. ટોપેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે જ્યાં સુધી સંક્રમણના દૈનિક મામલાની વાત છે તો હજું સુધી ચિંતાજનત છે પરંતુ મુંબઈ, વર્ઘા અને કેટલાક અન્ય ક્ષેત્રોમાં હાલમાં જ કેસમાં થયેલી વૃદ્ધિ ખતરનાક છે. તેમણે કહ્યું કે અમને નિર્દેશ આપ્યા છે કે ટ્રેસિંગ, ટેસ્ટ અને ટ્રીટમેન્ટના 3 ટી વાળા ફોર્મૂલાને કડકાઈથી અસરકારક રીતે લાગૂ કરવામાં આવે. તપાસને વધારવાની જરુર છે. લોકોને કોવિડ 19 દિશાનિર્દેશોનું પાલન કરવાની જરુર છે.