કૃષિ કાયદાની વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન અને દિલ્હી સીમાઓ પર સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે કેજરીવાલ સરકારે દિલ્હી પોલીસને ડીટીસી બસોને પાછી આપવા કહ્યું છે.
સરકારે દિલ્હી પોલીસને 576 બસોને પાછી આપવા કહ્યું
બસોનો ઉપયોગ બેરિકેડિંગ માટે કરવામાં આવી રહ્યો છે
ડીટીસી બસો લેવા માટે દિલ્હી પોલીસ અથવા સુરક્ષા એજન્સીએ સરકારની મંજૂરી લેવાની રહેશે
સરકારે દિલ્હી પોલીસને 576 બસોને પાછી આપવા કહ્યું
દિલ્હી પરિવહન વિભાગે ડીટીસીને નિર્દેશ આપીને દિલ્હી પોલીસને આપવામાં આવેલી 576 બસોને પાછી આપવા કહ્યું છે. હકિકતમાં ડીટીસીએ આ બસો સુરક્ષા એજન્સી દ્વારા ખેડૂત પ્રદર્શન દરમિયાન આવન જાવન માટે ઉપયોગમાં લેવાઈ રહી છે.
સંબંધિત વિભાગોને બસો જલ્દી છોડવા કહેવામાં આવ્યું છે.
પરિવહન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે શહેરના વિભિન્ન ભાગમાં તૈનાત કરવામાં આવેલા પોલીસ અને અર્ધસૈનિક દળના કર્મચારીઓના આવનજાવન માટે લો ફ્લોર ડીટીસી બસોનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. અધિકારીઓનું કહેવું છે કે સંબંધિત વિભાગોને બસો જલ્દી છોડવા કહેવામાં આવ્યું છે.
દિલ્હી ડેપોમાં 20 ટકાથી વધારે બસો વિશેષ ભાડા પર ચાલી રહી છે
અધિકારીઓનું કહેવું છે કે દિલ્હી સરકાર દ્વારા લેવામાં આવેલી ડીટીસી રિપોર્ટથી જાણવા મળે છે કે દિલ્હી ડેપોમાં 20 ટકાથી વધારે બસો વિશેષ ભાડા પર ચાલી રહી છે. એટલું જ નહીં 26 જાન્યુઆરીએ થયેલી હિંસા દરમિયાન અનેક બસોને નુકસાન થયું હતુ. ઉલ્લેખનીય છે કે હાલમાં 3700થી વધારે ડીટીસી બસો છે.
ડીટીસી બસો લેવા માટે દિલ્હી પોલીસ અથવા સુરક્ષા એજન્સીએ સરકારની મંજૂરી લેવાની રહેશે
સરકારી અધિકારીએ કહ્યું કે વિશેષ ભાડા પર ચાલી રહેલી ડીટીસી બસોને તાત્કાલીક અસરથી પાછી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અધિકારીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે વિશેષ ભાડા હેઠળ ડીટીસી બસોને લેવા માટે દિલ્હી પોલીસ અથવા સુરક્ષા એજન્સીએ સરકારની મંજૂરી લેવાની રહેશે.
બસોનો ઉપયોગ બેરિકેડિંગ માટે કરવામાં આવી રહ્યો છે
દિલ્હી સરકારના આ નિર્ણય પાછળનું કારણ એક તો દિલ્હી સરકારને ડેપોમાં બસની અછતની સતત ફરિયાદ રહે છે અને બીજું કે 26 જાન્યુઆરીની ઘટનામાં બસોને નુકસાન પહોંચ્યુ છે. એટલું જ નહીં દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા બસોનો ઉપયોગ બેરિકેડિંગ માટે કરવામાં આવી રહ્યો છે. જેનાથી બસોને નુકસાન થવાની સંભાવના વધારે છે. દિલ્હી સરકારને આ નિર્ણય ત્યારે આવ્યો છે. જ્યારે દિલ્હીની સીમાં પર ભારે સંખ્યામાં પોલીસ અને પેરામિલેટ્રી દળો તેનાત કરવામાં આવ્યા છે. જ્યાં ખેડૂત કેન્દ્ર સરકારની વિરુદ્ધ કૃષિ કાયદાને રદ્દ કરવા ગત 2 મહિનાથી આંદોલન કરી રહ્યા છે.