દિલ્હીમાં અચાનક કોરોનાના કેસ વધ્યા છે. ફરી લોકોમાં ડર બેઠો છે. દેશ કોરોનાની પીકને પાર કરી ચૂક્યો છે. તેમ છતાં દિલ્હીમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે રેકોર્ડ તોડી રહ્યો છે. ગત 3 દિવસમોમાં કોરોનાના 5 હજાર નવા કેસ સામે આવ્યા છે. અને રોજ ગત દિવસ કરતા વધારે કેસ આવી રહ્યા છે. ગત અઠવાડિયામાં 4749 નવા કેસ સામે આવ્યા છે. જેનાથી દિલ્હીમાં કેન્દ્ર સરકારની ફરી દખલ દેવાની જરુરીયાત ઊભી થઈ છે. દિલ્હીના વધતા કેસને જોઈ ગૃહ વિભાગે બેઠક બોલાવી હતી અને આ બાબતે ચર્ચા કરી હતી.
દિલ્હીમાં કેન્દ્ર સરકારની ફરી દખલ દેવાની જરુરીયાત ઊભી થઈ
તહેવાર, હવામાન અને પ્રદૂષણના સ્તરમાં વધારાની સમસ્યા વચ્ચે કોરોનામાં વધારે
કોરોનામાં વર્તવામાં આવતી બેદરકારીને કારણે કેસ વધ્યા
દિલ્હીમાં શુક્રવારે એક દિવસમાં 5891 નવા કેસ સામે આવ્યા હતા. આ બાદ કુલ આંકડો 3,81,644એ પહોંચી ગયો હતો. સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ શુક્રવારે 5891 નવા કેસ આવ્યા હતા. કુલ 47 લોકોના મોત થયા હતા. આ પહેલા ગુરુવારે 5739 કેસ આવ્યા હતા જ્યારે આજે 5891 નવા કેસ આવ્યા છે. બુધવારે દિલ્હીમાં પહેલીવાર 5 હજાર કેસ સામે આવ્યા હતા. કુલ કેસ 5673 હતા.
દિલ્હીમાં અત્યાર સુધી 3 લાખ 42 હજાર 811 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 3 લાખ 32 હજાર 363 એક્ટિવ કેસ છે. જેમાંથી 19 હાજર 64 લોકો હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.
દિલ્હીમાં કોરોનાની આ સ્પીડ જોઈને કેન્દ્ર સરકાર ફરી તેમાં દખલ લઈ શકે છે. અધિકારીઓનું માનીએ તો ગૃહ સચિવ અજય ભલ્લાની અધ્યક્ષતામાં સોમવારે થનારી બેઠકમાં સ્થિતિની નિરિક્ષણ કરવામાં આવશે. આ બેઠકમાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ, નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પોલ અને અન્ય વરિષ્ઠ કેન્દ્રીય અને દિલ્હીના સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે વાતચીત થશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા જુલાઈમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે બેઠક રી હતી. કોરોના પર કાબૂ મેળવવા પર ચર્ચા કરી હતી. દિલ્હીમાં તહેવાર, હવામાન અને પ્રદૂષણના સ્તરમાં વધારા દરમિયાન કોરોનામાં વર્તવામાં આવતી બેદરકારીના કારણે કોરોનાનો કહેર વધી રહ્યો છે.