અમેરિકામાં કોરોના વાયરસથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા શુક્રવારે 7,00000ના આંકડા પર પહોંચી ગઈ.
ડેલ્ટા સ્વરુપના મામલામાં ઘટાડો આવવાની શરુઆત
દર્દીઓની ભીડમાં થોડોક ઘટાડો આવ્યો
અમેરિકામાં મરનારાની સંખ્યા 7 લાખે પહોંચી ગઈ
ડેલ્ટા સ્વરુપના મામલામાં ઘટાડો આવવાની શરુઆત
અમેરિકામાં હાલ વધારે સંક્રમક ડેલ્ટા સ્વરુપના મામલામાં ઘટાડો આવવાની શરુઆત થઈ ગયો અને હોસ્પિટલમાં દર્દીઓની ભીડમાં થોડોક ઘટાડો આવ્યો છે. અમેરિકામાં ડેલ્ટા સ્વરુપના કારણે મૃતકોની સંખ્યા 6, 00,000થી 7,00, 000 પહોંચવામાં માત્ર સાડા 3 મહિનાનો સમય લાગ્યો. ડેલ્ટા સ્વરુપનું સંક્રમણ તે લોકોમાં વધારે ફેલાયું છે જેમને કોરોનાની રસી નથી લીધી. મૃતકોમાં બોસ્ટનની વસ્તી ઘણી વધારે છે.
7 કરોડ યોગ્ય અમેરિકનોએ હાલમાં રસીના ડોઝ નથી લીધા
મૃતકોનો આ આંકડો સ્વાસ્થ્ય નેતાઓ અને ચિકિત્સકોની સમસ્યા વધારનારી છે કેમ કે રસી તમામ અમેરિકનોને લગભગ 6 મહિનાથી ઉપલબ્ધ છે અને રસીના ડોઝ તેમને હોસ્પિટલમાં દાખલ થવા અને મરવાથી બચાવી શકે છે. એવું મનાઈ રહ્યું છે કે 7 કરોડ યોગ્ય અમેરિકનોએ હાલમાં રસીના ડોઝ નથી લીધા.
હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા લગભગ 75 000
હકિકતમાં મૃતકોની વધતી સંખ્યા છતાં સુધારાના કેટલાક સંકેત છે. દેશભરમાં કોવિડ 19થી સંક્રમિત દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા લગભગ 75 000 છે. જ્યારે સપ્ટેમ્બરની શરુઆતમાં આ સંખ્યા 93, 000 હતી. સંક્રમણના નવા મામલામાં ઘટાડો આવી રહ્યો છે. મૃતકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સંક્રમણમાં ઘટાડાનું કારણ માસ્ક પહેરવા અને રસી લેવું છે.
આ કોરોના વાયરસની સારવાર કરવામાં કારગત પહેલી દવા હશે
ત્યારે દવા કંપની મર્કે શુક્વારે કહ્યું કે તેણે કોવિડ 19થી સંક્રમિત લોકો માટે પ્રાયોગિક ગોળીએ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દી અને મૃતકોની સંખ્યા અડધી કરી નાંખી. જો આ દવાને નિયામકોને મંજૂરી મળે છે તો આ કોરોના વાયરસની સારવાર કરવામાં કારગત પહેલી દવા હશે. સરકારના મૃખ્ય સંક્રમક રોગ વિશેષજ્ઞ ડો. એન્થની ફાઉચીએ શુક્રવારે ચેતવ્યા છે કે કેટલાક લોકો રસી ન લગાવવાના કારણે કેટલીક સમસ્યા થઈ શકે છે. તેમણે કહ્યું કે સારા સમાચાર એ છે કે સંક્રમણના મામલા ઓછા થઈ રહ્યા છે.