પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના રસીકરણ અભિયાનની શરુઆત કરતા આજે રાષ્ટ્રને સંબોધિત કર્યો. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમણે દેશને લોકડાઉન માટે તૈયાર કર્યો હતો. પોતાના ભાષણ દરમિયાન તેમણે ચીનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હવે કોરોના સંક્રમણના કારણે દુનિયામાં લોકડાઉન લગાવાઈ રહ્યું હતું ત્યારે અનેક દેશોએ પોતાના નાગરિકોને તેના હાલ પર છોડી દીધા હતા. પરંતુ આપણે એવું નથી કર્યુ.
કેટલાક દેશોએ પોતાના નાગરિકોને ચીનમાં નોધારા છોડી દીધા હતા
જનતા કર્ફ્યૂએ દેશને મનોવૈજ્ઞાનિક રુપથી લોકડાઉન માટે તૈયાર કર્યો
આ તારીખે ભારતે પહેલી એડવાઈઝરી જારી કરી દીધી હતી
કેટલાક દેશોએ પોતાના નાગરિકોને ચીનમાં નોધારા છોડી દીધા હતા
પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે આવા સમયમાં કેટલાક દેશોએ પોતાના નાગરિકોને ચીનમાં વધતા કોરોનાની વચ્ચે છોડી દીધા હતા. ત્યારે ભારત ચીનમાં ફસાયેલા દરેક ભારતીયોને પાછા લાવ્યુ હતુ. ફક્ત ભારતના જ નહીં આપણે અનેક દેશોના નાગરિકોને ત્યાંથી પાછા લાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ઈમરાન સરકારે પોતાના નાગરિકોને તે સમયે ચીનમાં તેમના હાલ પર છોડી દીધા હતા. આ બાદ પાકિસ્તાનના વિદ્યાર્થીઓએ પીએમ મોદીને પોકાર લગાવી હતી.
આ તારીખે ભારતે પહેલી એડવાઈઝરી જારી કરી દીધી હતી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 17 જાન્યુઆરી 2020ની તે તારીખ હતી. જ્યારે ભારતે પહેલી એડવાઈઝરી જારી કરી દીધી હતી. ભારત દુનિયાનો પહેલા દેશોમાંનો એક હતો જેણે એરપોર્ટ્સ પર પ્રવાસીઓનું સ્ક્રીનિંગ શરુ કરી દીધુ હતુ. ભારતમાં 24 કલાક સતર્ક રહેતા દરેક ઘટનાક્રમ પર નજર રાખતા યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કર્યા. 30 જાન્યુઆરીએ ભારતમાં કોરોનાનો પહેલો કેસ મળ્યો. પરંતુ તેના 2 અઠવાડિયાની પણ પહેલા ભારત એક હાઈ લેવલ કમિટી બનીવી ચૂક્યો હતો.
જનતા કર્ફ્યૂએ દેશને મનોવૈજ્ઞાનિક રુપથી લોકડાઉન માટે તૈયાર કર્યો
જનતા કર્ફ્યૂનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ દિવસે કોરોનાની વિરુદ્ધ આપણા સમાજના સંયમ અને અનુશાસનનું પણ પરિક્ષણ હતુ. જેમાં દરેક દેશવાસીઓ સફળ રહ્યા. જનતા કર્ફ્યૂએ દેશને મનોવૈજ્ઞાનિક રુપથી લોકડાઉન માટે તૈયાર કર્યો.