સીમા પર ભારત માટે ચીન અને પાકિસ્તાન સતત મુશ્કેલી પેદા કરતા દેખાઈ રહ્યા છે.
નરવણે લદ્દાખમાં જારી હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
ચીને ભારતના પૂર્વ કમાન તથા પૂર્વ લદ્દાખ અને ઉત્તરી મોર્ચા પર ઘણી તૈનાતી કરી
ઓક્ટોબરમાં થનારી છે 13મી બેઠક
નરવણે લદ્દાખમાં જારી હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે લદ્દાખમાં જારી હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ચીને પૂર્વ લદ્દાખમાં મોટી સંખ્યામાં તૈનાતી વધારી છે. જોકે સેના પ્રમુખે એમ પણ કહ્યું કે ભારત પણ તમામ સંકટ સામે લડવા તૈયાર છે. તેમણે 13માં સ્તરની બેઠકમાં સ્થિતિ સુધરવાની આશા વ્યક્ત કરાઈ છે. સાથે તેમણે કહ્યું છે કે પાકિસ્તાન તરફથી 2 વાર સીઝફાયરનો ભંગ થયો છે.
ચીને ભારતના પૂર્વ કમાન તથા પૂર્વ લદ્દાખ અને ઉત્તરી મોર્ચા પર ઘણી તૈનાતી કરી
શનિવારને જનરલ નરવણેએ કહ્યું, ચીને આપણા પૂર્વ કમાન તથા પૂર્વ લદ્દાખ અને ઉત્તરી મોર્ચા પર ઘણી તૈનાતી કરી છે. અગ્રિમ મોર્ચા પર થયેલી તેમની તૈનાતી હકિકતમાં અમારી ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે અમે તેમની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છીએ. અમને મળતી માહિતીના આધાર પર અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે સૈનિકોમાં બરાબર વધારો કરી રહ્યા છે. જે કોઈ પણ સંકટનો સામનો કરવા માટે જરુરી છે.
ઓક્ટોબરમાં થનારી છે 13મી બેઠક
ભારત અને ચીની પક્ષની વચ્ચે સેન્ય અને રાજનાયિક સ્તરની બેઠક થઈ ચૂકી છે. ઓક્ટોબરમાં બન્ને દેશોમાં 13મી વાર ચર્ચા કરવા જઈ રહ્યા છે. જનરલ નરવણેએ કહ્યું કે ગત 6 મહિનાની સ્થિતિ સામાન્ય છે. અમને આશા છે કે ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં બેઠક થવાની છે અને અમે આ સહમતિ પર પહોંચીશું કે ડિસઈગેજમેન્ટ કેવી રીતે થશે. તેમણે કહ્યું કે મારો દ્રઢ વિચાર છે કે અમે મતભેદોને વાતચીતથી દૂર કરી શકીએ છીએ. સેના પ્રમુખે કહ્યું કે મને આશા છે કે અમે લક્ષ્ય મેળવી શકીશું.
પાકિસ્તાન પોતાની હરકતોમાંથી ઉંચુ નથી આવી રહ્યું
જનરલ નરવણેએ જાણકારી આપી છે કે પાકિસ્તાન સેના હાલના દિવસોમાં સીઝફાયર ભંગ કર્યો છે. તેમણે કહ્યું કે પાક સેના તરફતી ફેબ્રુઆરીથી લઈને જૂનના અંત સુધી સીઝફાયરનું ઉલંઘન નહોંતુ થયુ. પરંતુ બાદમાં ઘૂસણખોરીનો પ્રયાસ વધી ગયો. જેની મદદથી સીઝફાયરનું ઉલંઘનના માધ્યમથી કરી હતી. 10 દિવસમાં 2 વાર સીઝફાયરનું ઉલંઘન થયું છે. ફેબ્રુઆરીએ પહેલાવાળી સ્થિતિ પાછી આવી રહી છે.