પૂર્વી લદ્દાખમાં LOC નજીક ભારત જ્યાં ચીન સાથેના વિવાદને વાતચીત દ્વારા સમાપ્ત કરવા માંગે છે ત્યાંરે ચીન હજુ પણ પીઠ પાછળ વાર કરવાનો ઈરાદો રાખે છે.
ફરી એકવાર ચીનના ઇરાદાઓ પર ઉઠ્યા સવાલ
6 મહિનામાં LAC નજીક 100થી વધુ લશ્કરી અભ્યાસ
11 લશ્કરી વાટાઘાટો થઈ ગયા છતાં ચીનની સ્થિતિમાં રાહત નહીં
ફરી એક વખત ચીનની ચાલાકી સામે આવી છે અને ડ્રેગનના ઇરાદા પર ફરી સવાલો ઉઠ્યા છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી(PALA)એ આ વર્ષે તિબેટમાં સરહદ પર 100 થી વધુ લશ્કરી કવાયત હાથ ધરી છે. જ્યારે પૂર્વી લદ્દાખમાં LAC (લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ)ની નજીકના કેટલાક સ્થળોથી સેનાને હટાવાની દિશામાં પ્રગતિ જોવા મળી છે. આ ઉપરાંત ગત સપ્તાહે ચીને તિબેટના પાટનગર લ્હાસા અને અરુણાચલ પ્રદેશના સીમા પરના શહેર નિયંગચી વચ્ચે બુલેટ ટ્રેન સેવા શરૂ કરી હતી.
કોવિડ મહામારી હોવા છતાં, ચીનનું સૈન્ય અભિયાન ચાલુ
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચીન દ્વારા કરવામાં આવેલી તમામ પ્રવૃતિઓ સૂચવે છે કે ફેબ્રુઆરીમાં પેંગોંગ ત્સો ખાતે સૈન્ય ખસી જવા છતાં ચીન વિવાદિત હિમાલયની સરહદ પર તેની લશ્કરી ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગત વર્ષે જૂનમાં ગલવાન ખીણની ઘટના બાદ ચીને સરહદ પર વધારે સેના તેનાત કરી દીધી હતી. કોવિડ મહામારી હોવા છતાં, ચીનનું સૈન્ય અભિયાન ચાલુ છે.
સૈનિકોની યુદ્ધ ક્ષમતા વધારવાના સતત પ્રયત્નો
ચીનના 20 આર્મી યુનિટના 1000 થી વધુ સૈનિકોએ ઉચ્ચ ક્ષેત્રોમાં લશ્કરી કવાયતમાં ભાગ લીધો હતો. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિમાં ચીની સૈનિકોની યુદ્ધ ક્ષમતાને વધારવાના ઈરાદાથી તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં આ કવાયત હાથ ધરવામાં આવી હતી. એક રીપોર્ટ અનુસાર ચીન ભારત સાથેની તેની વાસ્તવિક સરહદ નજીકના વિસ્તારોમાં ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓમાં સુધારો કરી રહ્યું છે. રીપોર્ટ મુજબ, હજી સુધી ચીન અને ભારત વચ્ચે લગભગ 11 વખત લશ્કરી વાટાઘાટો થઈ ચુકી છે.
જનરલ બિપિન રાવતે લીધી હતી LACની મુલાકાત
મંગળવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે હિમાચલ પ્રદેશ ક્ષેત્રે ચીન સાથે લાઇન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ (LAC) નજીક સ્થિત અગ્રીમ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સંવેદનશીલ ક્ષેત્રમાં ભારતની સૈન્ય તૈયારિયોની તપાસ કરી હતી. જનરલ રાવતે ચંડીમંદિર ખાતે ભારતીય સેનાની પશ્ચિમી કમાન્ડના મુખ્ય મથકની મુલાકાત પણ લીધી હતી જ્યાં તેમણે પાકિસ્તાન સાથેની સરહદ પરની ઓપરેશનલ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. LAC નજીકના અગ્રીમ ક્ષેત્રમાં સૈનિકો સાથેની વાતચીત કરતા, જનરલ રાવતે તેમને દેશની ક્ષેત્રીય અખંડિતાના રક્ષણ માટેના કાર્યમાં અડગ રહેવા માટે આહવન કર્યું હતું.
હાલમાં LAC 50,000 થી 60,000 સૈનિકો તેહનાત
જનરલ રાવત દ્વારા LAC નાજીકના અગ્રીમ સેક્ટરની મુલાકાત એવા સમયે લેવામાં આવી છે જ્યારે પૂર્વી લદ્દાખમાં અનેક મુકાબલો પર ભારત અને ચીનની સૈન્ય વચ્ચે લશ્કરી તકરાર છે. બંને પક્ષોએ LAC નજીકના કેટલાક ક્ષેત્રોમાંથી પોતાની સેના હટાવવાના મુદ્દા પર વાતચીત પણ કરી છે. સેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંવેદનશીલ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર હાલમાં 50,000 થી 60,000 સૈનિકો તેહનાત છે. કુલ 11 રાઉન્ડની લશ્કરી વાટાઘાટો થઈ ગયા છતાં ચીનની સ્થિતિમાં રાહત જોવા મળી નથી.