શહેરમાં ખતરનાક સ્તર પર પહોંચી રહેલા હવા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકાર અનોખી પહેલ કરવા જઈ રહી છે. આ અંતર્ગત રસ્તાઓ પર દોડતા વાહનોના ઉત્સર્જનને જાણવા માટે રિમોર્ટ સેન્સિંગ ડિવાઈસ મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મુકવાની યોજના છે . આ સેન્સરની મદદથી વાહનની શ્રેણી, ઈંધણનો પ્રકાર, નંબર પ્લેટ, રફ્તાર, ફાસ્ટેગ આઈડી, ઉત્સર્જન માપદંડ વગેરેને જાણી શકાશે. ખાત વાત એ છે કે નક્કી કરેલા માપદંડથી વધારે પ્રદૂષણ ફેલાવી રહેવા વાહનોના ડ્રાઈવરને એસએમએસના માર્ફતે એલર્ટ મેસેજ મોકલવામાં આવશે.
વાયુ પ્રદૂષણ નિયંત્રણ કરવાના દિશા નિર્દેશ જારી કરી દેવામાં આવ્યા
માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે આ બાબતે સપ્ટેમ્બરના અંતિમ મુસદ્દો જારી કર્યો છે. રિમોટ સેન્સિંગ ડિવાઈસ ફોર ઓનબોર્ડ એમિશન મોનિટરિંગ સિસ્ટમ વિષયક મુસદ્દામાં રસ્તાઓ પર વાહનો દ્વારા વાયુ પ્રદૂષણ નિયંત્રણ કરવાના દિશા નિર્દેશ જારી કરી દેવામાં આવ્યા છે. આ વિષય સાથએ જોડાયેલા મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ એક મીડિયા ગ્રુપને જણાવ્યું કે આરએસડી એક મોબાઈલ યુનિટ હશે. જે શહેરોમાં અલગ અલગ સ્થાનો પર લગાવવામાં આવશે. જેનો પાઈલોટ પ્રોજેક્ટ દિલ્હીથી શરુ કરવામાં આવશે. સફળતા મળતા દેશના પ્રમુખ અને મોટા શહેરોમાં આરએસડી વ્યવસ્થાને લાગુ કરવામાં આવશે.
આનાથી રસ્તા પર દોડી રહેલા વાહનોમાંથી નિકળતા ઉત્સર્જનને માપી શકાશે. ખાનગી અને વ્યાવસાયિક વાહનોના પ્રકાર, ઈંધણનો પ્રકાર જાણી શકાશે. આ ઉપરાંત વાહનના માલિક કે ચાલકને મોબાઈલમાં એસએમએસ , ઈમેલ દ્વારા એલર્ટ કરવામાં આવશે. આ માટે 5 લાખ વાહનોનો ડેટા કલેક્ટ કરી લીધો છે.
કેવી રીતે કામ કરશે ટેક્નિક
આરએસડીમાં ઉચ્ચ ટેક્નિકના કેમેરાથી ઉત્સર્જન વિશ્લેષક ઉપકરણો લાગેલા છે. જે લેઝરની મદદથી દુરથી ચાલી રહેવા વાહનની શ્રેણી, ઈંધણનો પ્રકાર, નંબર પ્લેટ, રફ્તાર, ફાસ્ટેગ આઈડી, ઉત્સર્જન માપદંડ વગેરેને જાણી શકાશે. ખાત વાત એ છે કે નક્કી કરેલા માપદંડથી વધારે પ્રદૂષણ ફેલાવી રહેવા વાહનોના ડ્રાઈવરને એસએમએસના માર્ફતે એલર્ટ મેસેજ મોકલવામાં આવશે. આરએસડી ડેટા રિયલ ટાઈમ મુલ્યાંકન કરશે. ઓપરેટર સમય સમય પર ઉત્સર્જન ડેટાને ઓડિટ કરી મંત્રાલયના પોર્ટલ પર મોકલશે.