બિહારના ચૂંટણી જંગમાં આતંકવાદનો મુદ્દો પણ મહત્વનો બની ગયો છે. જમ્મુ કાશ્મીરમાં ગુરુવારે ભાજપના 3 કાર્યકર્તાઓની આતંકવાદીઓએ હત્યા કરી હતી. ભાજપ આને લઈને આક્રમક છે. આની અસર સામાજિક સમીકકણોના ધ્રુવીકરણ પર પડી શકે છે. આ પહેલા મહેબૂબા મુફ્તીના તિરંગા મદ્દેના નિવેદનને પણ ભાજપે ઉઠાવ્યો હતો. ભાજપે પુલવામાંની ઘટના પર પાકિસ્તાનના ખુલ્લાસા પર વિપક્ષને ઘેર્યુ છે. બીજી તરફ કોંગ્રેસે મહેબૂબાની મુક્તીના સમય પર સવાલ ઉઠાવ્યા છે.
પીએમ મોદીએ પણ યુવા કાર્યકર્તાઓની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યુ
3 કાર્યકર્તાઓની હત્યા બાદ ભાજપનું વલણ આક્રમક
જમ્મુ કાશ્મીરમાં આતંકી હનમલામાં પોતાના 3 કાર્યકર્તાઓની હત્યા બાદ ભાજપનું વલણ આક્રમક છે. પીએમ મોદી તથા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડીએ આના પર ગહેરું દુઃખ વ્યક્ત કર્યુ છે. નડ્ડાએ કહ્યું કે આ કાર્યકર્તાઓના બલીદાનને વ્યર્થ નહીં જવા દઈએ. નડ્ડાએ આને કાયરોનો હુમલો ગણાવતા કહ્યું કે આવા રાષ્ટ્રભક્તોનું જવું દેશ માટે મોટું નુકસાન છે. પીએમ મોદીએ પણ યુવા કાર્યકર્તાઓની હત્યા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા હતા.
બિહારની ચૂંટણીમાં રોજગારના મોટા મુદ્દા તથા સત્તા વિરોધી વલણને લઈને સતારુઢ ગઠબંધન પાર્ટીની ચિંતા પહેલાથી વધેલી છે. વિપક્ષમાં એમવાઈ સમીકરણના પડકાર પણ છે. તેવામાં ખાસ કરીને ભાજપ રાજદ અને કોંગ્રેસ પર વધારે હુમલો કરી રહી છે. જોકે આ વર્ષે વધારે સીટો પરથી કોંગ્રેસ લડી રહી છે. ભાજપનું માનવું છે કે ત્યાં રાજદની સાથે મુકાબલા વાળી સીટોની સરખામણીએ વધારે પ્રભાવશાળી છે. એટલા માટે કોંગ્રેસને કઠેડામાં ઉભી કરી સીટમાં વધારો કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
પાર્ટીના એક પ્રમુખ નેતાએ કહ્યું કે ચૂંટણીની અસર ચૂંટણી દેશને હોય કે રાજ્યની તેની અસર આખા દેશ પર પડે છે. પક્ષનો ચહેરો ચરિત્ર કેવું છે તે જનતાની સામે આવવું જોઈએ. ખાસ કરીને આતંકવાદના મુદ્દાઓ પર સવાલ ઉઠાવી પૂરાવા માંગનારાની હકિકત બિહારની જનતા પણ જાણે છે. જમ્મુ કાશ્મીરની ઘટનાને આમ તો ચૂંટણી સાથે કોઈ સીધો સંબંધ નથી પરંતુ ધ્રુવીકરણની સ્થિતિ બનવા પર તે અસર કરી શકે છે. પુલવામાની ઘટના પર પાકિસ્તાનમાં થયેલા ખુલાસાએ ભાજપને વિપક્ષ પર હુમલો કરવાની તક આપી છે.