કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ ગણતંત્ર દિવસના પ્રસંગે દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ કરી હતી. આ દરમિયાન અથડામણની ઘટના બની હતી. આ તમામને લઈને શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના એડિટોરિયલમાં કેન્દ્રની મોદી સરકારને ચેતવ્યા હતા. શિવસેનાએ કહ્યું કે જો સરકાર કૃષિ કાયદા પર પીછે હટ કરી લેતી કો કઈ મોટી આફત આવી પડતી. સરકાર કૃષિ કાયદા પર પીછે હટ કરી લે નહીંતર રુસની જેમ લોકો રસ્તા પર નિકળી જશે.
હિંસામાં 86 પોલીસ જવાન ઘાયલ થયા
સરકાર દેશની જનતાનો ગુસ્સો નથી સમજતી- શિવસેના
સરકાર કૃષિ કાયદા પર પીછે હટ કરી લે નહીંતર...
ઉલ્લેખનીય છે કે રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રતિદ્વંદી એલેક્સી નવાલની ધરપકડની વિરુદ્ધ મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યા છે અને લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે.
સરકાર દેશની જનતાનો ગુસ્સો નથી સમજતી- સામના
આ ઉપરાંત સંપાદકીય લેખમાં લખવામાં આવ્યું છે કે સરકાર દેશની જનતાનો ગુસ્સો નથી સમજતી. જીએસટી, નોટબંધી અને લોકડાઉનથી લોકોમાં ભારે ગુસ્સો છે અને કાલે ખેડૂત દિલ્હી પહોંચી ગયા છે. તેનાથી દેશમાં કોઈ સારી તસ્વીર નથી બની રહી. 26 જાન્યુઆરીના પ્રદર્શન બાદ જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેનાથી એ સવાલ ઉભા થઈ રહ્યા છે કે શું આપણે ખરેખર લોકતંત્રમાં જીવી રહ્યા છીએ.
હિંસામાં 86 પોલીસ જવાન ઘાયલ થયા
પોલીસે નિવેદનમાં જણાવ્યું કે આ ઘટનામાં પોલીસના 86 જવાનો ઘાયલ થયા છે. હિંસા સ્થળ પર એત પ્રદશનકારીનું ટ્રેક્ટર પલટી ગયું હતું જેનાથી તેનું મોત થયું હતુ. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે સંયુક્ત ખેડૂત મોર્ચા તરફથી ગણતંત્ર દિવસના પ્રસંગે ખેડૂતોએ ટ્રે્ક્ટર રેલીનું આયોજન કર્યુ હતુ. પ્રસ્વાવિત ટ્રેક્ટર રેલીના સંબંધમાં મોર્ચાની સાથે દિલ્હી પોલીસની અનેક દોરની બેઠક થઈ હતી. પોલીસના જણાવ્યાનુંસાર મંગળવારે સવારે લગભગ 8.30 વાગે 6 હજારથી 7 હજાર ટ્રેક્ટર સિંધુ સીમા પર ભેગા થયા. પહેલાથી નિર્ઘારિત રસ્તાઓ પર જવાને બદલે તેમણે મધ્ય દિલ્હી તરફ જવા પર ભાર મુક્યો હતો.