એલએસી પર 4 સ્થાનો પર અથડામણની સ્થિતિ બનેલી છે. પેંગોંગ બાદ ડેપ્સાંગમાં પણ સેના આમને સામને છે. જો કે અહીં અથડામણ બાદ ફેરફાર નહોંતો થયો. જ્યારે ગોગરા અને ડોટ સ્પ્રિંગમાં સેના પહેલા જ થોડી પાછળ હટી છે પરંતુ આ વિસ્તારમાં મે 2020 પહેલાની સ્થિતિ યથાવત થવાની બાકી છે. પેંગોગ સિવાય બાકીના 3 વિસ્તારોમાં વાર્તાના દોર થવાના બાકી છે.
આવનારી બેઠકોમાં 3 સ્થાનો પર પણ પહેલાનીની સ્થિતિ વધારે કાયમ થશે
લેફ્ટનેન્ટ જનરલ રાજેન્દ્ર સિંહ(રિટાયર્ડ)ના અનુસાર પૈંગોંગથી બે સેના વચ્ચેના અથડામણની સમજૂતિ બાદ હવે બાકીની જગ્યાઓ પર તણાવ ઘટવાની આશા છે. પેંગોગમાં ભારતીય સેનાએ સામરિક રુપથી મહત્વપૂર્ણ સ્થાનો પર જે પ્રકાર પોઝિશન સંભાળી લીધી છે. તે સ્થિતિમાં ચીની સેનાની પાસે સમજૂતી કરવા ઉપરાંત કોઈ વિકલ્પ નથી બચ્યો. જો વાસ્તવમાં ચીનના તણાવને ખતમ કરવા ઈચ્છુક છે તો આવનારી બેઠકોમાં 3 સ્થાનો પર પણ પહેલાનીની સ્થિતિ વધારે કાયમ થશે
રક્ષામંત્રી રાજનાથ સિંહે એક દિવસ પહેલા સંસદમાં કહ્યું હતું કે પેંગોંગમાંથી સેનાની પૂર્ણ વાપસી થયા બાદ શેષ બચેલા મુદ્દા પર પણ વાતચીત થશે. જેમાં તેમને ઈશારો એ સ્થાનોને લઈને હતો. પેંગોંગ ખાલી થવાના 2 દિવસની અંદર વરિષ્ઠ કમાન્ડર સ્તર પર વાતચીતમાં એ મુદ્દાઓ પર ચર્ચા થશે.
ભારત આ સ્થિતિમાં કાયમ રહેવા ઈચ્છે છે
સૂત્રોના જણાવ્યાનુંસાર આ બાદ ભારત તરફથી પેટ્રોલિંગ કરવાને લઈને ભાર મુકવામાં આવ્યો છે. હાલની સમજૂતીમાં ફિંગર વિસ્તારમાં પેટ્રોલિંગને યથાવત રાખવા પર ભાર મુકવામાં આવ્યો છે. પરંતુ રાજનાયિક સ્તર પર વાર્તા બાદ ફરી પૂર્વની સ્થિતિમાં શરુ કરવામાં આવશે. પૂર્વમાં ભારત ફિંગર -8 સુધી પેટ્રોલિંગ કરતુ રહ્યું છે. જ્યારે ચીન ફિંગર -4 સુધી પેટ્રોલિંગ કરતું રહ્યું છે. પેટ્રોલિંગ બન્ને પોત પોતાના દાવાના આધાર પર કરવામાં આવી રહી હતી. એટલા માટે આ સીમાનો વિવાદ હજું સુધી ઉકેલાઈ શક્યો નથી. ભારત આ સ્થિતિમાં કાયમ રહેવા ઈચ્છે છે.
3 સ્થાનો પર પેટ્રોલિંગ મુખ્ય મુદ્દા
સેનાના સૂત્રોનું કહેવું છે 3 સ્થાનો પર મુખ્ય મુદ્દા પૂર્વની જેમ પેટ્રોલિંગ યથાવત રહેશે. આ સ્થાનો પર પેંગોગ લેક જેવી સ્થિતી હાલ નથી. આ સ્થાનો પર બન્ને દેશોની સેનાઓ પહેલાથી જ પીછે હટી છે. પરંતુ હાલ એ જોવાનું બાકી છે કે પહેલાની સ્થિતિ યથાવત કરવા માટે શું પગલા ભરવામાં આવશે. બીજા 3 વિસ્તારોમાં પેટ્રોલિંગ મહત્વનો મુદ્દો છે.