મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજ્યમાં કોરોનાને પહોંચી વળવા માટે કેટલાક શહેરોમાં લોકડાઉન લાગૂ કરવામાં આવી શકે છે.
હજું કોરોના સંક્રમણથી સ્થિતિ બેકાબૂ નથી થઈ
નાગપુરમાં 15થી 21 માર્ચ સુધી પૂર્ણ લોકડાઉન
કેટલાક દિવસોમાં કેટલાક સ્થાનો પર લોકડાઉન થઈ શકે છે - ઠાકરે
હજું કોરોના સંક્રમણથી સ્થિતિ બેકાબૂ નથી થઈ
ઠાકરેએ કહ્યુ કે રાજ્યમાં કોરોનાના કેસ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. જો કે તેમણે કહ્યું કે હજું કોરોના સંક્રમણથી સ્થિતિ બેકાબૂ નથી થઈ. મુંબઈના જેજે હોસ્પિટલમાં કોરોના વાયરસની રસીના ડોઝ લીધા બાદ ઉદ્ધવ ઠાકરેએ આ વાત કહી હતી. સીએમએ કહ્યું કે આવનારા કેટલાક દિવસોમાં કેટલાક સ્થાનો પર લોકડાઉન કરી શકે છે. આપણે નાના ટુકડામાં આ કરવાનું છે. જો કે હજું પણ સ્થિતિ નિયંત્રણની બહાર નથી.
કેટલાક સ્થાનો પર કડક લોકડાઉન પણ લાગી શકે છે- સીએમ
સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કેટલાક સ્થાનો પર કડક લોકડાઉન પણ લાગી શકે છે. આ સંબંધમાં જલ્દી નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત કોરોના રસી લગાવ્યા બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને રસી લેવા પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે વેક્સીનને લઈને કોઈ પણ પ્રકારના ખચકાટ કે ઘબરાહટની જરુર નથી. હું એ તમામ લોકોને અપીલ કરુ છુ કે જે લોકો આની મર્યાદામાં આવે છે તે જલ્દીથી રસી લગાવે. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ પણ ભારત બાયોટેકની બનેલી કોવેક્સીન લગાવી છે. ઉદ્ધવ ઠાકરેની સાથે તેની પત્ની રશ્મિ અને માતાએ પણ રસીના ડોઝ લીધા.
નાગપુરમાં 15થી 21 માર્ચ સુધી પૂર્ણ લોકડાઉન
નાગપુર શહેરમાં 15થી 21 માર્ચ સુધી પૂર્ણ લોકડાઉનનું એલાન કર્યુ હતુ. જિલ્લા પ્રભારી મંત્રી નિતીન રાઉતે ગુરુવારે એલાન કરતા કહ્યું કે શહેરમાં 15 થી 21 માર્ચ સુધી સંપર્ણ લૉકડાઉન રહેશે. એટલે કે કોઇને પણ બહાર નીકળવાની પરમીશન હશે નહી, માત્ર જરૂરી સામાન સિવાય કોઇ દુકાન ખુલ્લી રહેશે નહી. આ પહેલા ગત મહિનાથી 7 માર્ચ સુધી જિલ્લાની તમામ સ્કુલ, કોલેજ, કોચિંગ સંસ્થાન બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે બજારોને શનિવારે અને રવિવાદે ખોલવાની પરવાનગી આપી હતી. પરંતુ હવે પુરી રીતે બંધ કરવાનું એલાન કરી દીધું છે. રાજ્યમાં પહેલીથી સામાજિક, રાજનીતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં જમાવડા પર પ્રતિબંધ લાગેલો છે.