કોરોનાના વધતા કેસને કારણે દેશભરમાં ઓક્સિજનથી લઈને હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ છે. આની વચ્ચે કેન્દ્ર સરકારે ગુરુવારે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને મેડિકલ સાધનો અને ઓક્સિજનની અછતને પૂરી કરવા માટે એ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે કહ્યુ કે પીએમ કેર ફંડ અંતર્ગત 100 નવી હોસ્પિટલોમાં તેમનો પોતાનો ઓક્સિજન પ્લાન હશે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ સરકારે કહ્યું કે પીએમ કેર ફંડ અંતર્ગત 100 નવી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે અને 50 હજાર મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની આયાત પણ કરવામાં આવશે.
50 હજાર મેટ્રિક ટન ઓક્સિજન આયાત કરવા માટે તૈયારીઓ કરાશે
કેન્દ્રએ ગુરુવારે કહ્યું કે કોરોનાના વધતા કેસના ચાલતા 50 હજાર મેટ્રિક ટન ઓક્સિજન આયાત કરવામાં આવશે. જ્યારે આ માટે સંસાધનો અને ઉત્પાદનોની ક્ષમતાના વધારે મામલા વાળા 12 રાજ્યોની જરુરિયાતોને પુરી કરવા માટે માર્કિંગ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને આ માટે નિવિદા પ્રક્રિયાને પુરી કરવા માટે તથાવિદેશ મંત્રાલયના મિશનો દ્વારા ચિન્હિત આયાત માટે શક્ય સંસાધનો શોધવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં બનશે પ્લાન્ટ
સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ સંબંધમાં તેઓ આદેશ જારી કરી રહ્યા છે અને આને ગૃહ મંત્રાલય દ્વારા અધિસૂચિત કરવામાં આવશે. જરુરીયાત વાળા રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સામેલ છે. હકિકતમાં જરુરી મેડિકલ ઈક્વિપમેન્ટ અને ઓક્સીજનની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા માટે ગુરુવારે એમ્પાવર્ડ ગ્રુપ 2(ઈજી 2)ની બેઠક આયોજિત કરવામાં આવશે. બેઠકમાં વધારે જરુરીયાત વાળા 12 રાજ્યો માટે 4880 મેટ્રિક ટન, 5619 મેટ્રિક ટન અને 6593 મેટ્રિક ટનના ઓક્સિજનની જરુરિયાતની ઓળખ કરવામાં આવી છે જે તેમની અંદાજિત માંગને ક્રમશઃ 20 એપ્રિલ, 25 એપ્રિલ અને 30 એપ્રિલે પુરી કરવામાં આવશે. મુંબઈ અને યુપીમાં ઓક્સિજનની ડિમાન્ડ વધી રહી છે.
ઓક્સિજનના નિર્માણ યુનિટમાં ઉત્પાદન વધાર્યુ છે
મંત્રાલયે કહ્યુ કે ઓક્સિજનના નિર્માણ યુનિટમાં ઉત્પાદન વધાર્યુ છે પહેલાથી સ્ટોક હાજર છે. હાલમાં ઓક્સિજન પુરતા પ્રમાણમાં છે. તેમજ કહ્યુ કે જરુરિયાતના હિસાબથી ઓક્સિજનની સુગમ આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે નિયંત્રિત કક્ષા બનાવવા અને સિલેન્ડરો તથા ટેંકરોની જરુરીયાતોની સમીક્ષા કરવાના નિર્દેશ આપ્યા છે.
12 એપ્રિલ 2021માં દેશમાં ઓક્સિજનની ખપત 38 42 એમટી હતી
મંત્રાલયના અનુસાર દેશમાં ઓક્સિજન માટે લગભગ 7127 એમટીની પર્યાપ્ત ઉત્પાદન ક્ષમતા છે અને જરુરિયાત અનુસાર ઈસ્પાત સંયંત્રોની પાસે ઉપલબ્ધતા અધિશેષ ઓક્સિજનને જ ઉપયોગમાં લાવવામાં આવી રહી છે. દેશમાં પ્રતિદિન 7, 127 એમટી ઓક્સિજનની દૈનિક ઉત્પાદન ક્ષમતા છે. ઈજી -2 દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે કે ગત 2 દિવસમાં કુલ ઉત્પાદન 100 ટકા રહ્યુ છે. કેમ કે મેડિકલ ઓક્સિજનની આપૂર્તિ ક્ષમતા વધી રહી છે. 12 એપ્રિલ 2021માં દેશમાં ઓક્સિજનની ખપત 38 42 એમટી હતી જે દેનિક ક્ષમતાના 54 ટકા હતા.