નેપાળમાં ભારે વરસાદ અને તોફાને તબાહી મચાવી છે. ભારે વરસાદ અને તોફાનના પગલે નેપાળમાં અત્યાર સુધીમાં કુલ 27 લોકોનાં મોત નિપજ્યાં છે. આ તોફાનની લપેટમાં આવતા 400 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલીએ પણ કુદરતી હોનારત સામે દુઃખ વ્યક્ત કર્યુ અને અસરગ્રસ્તોને સાંત્વના આપી છે.
નેપાળમાં ભારે વરસાદ અને તોફાને તબાહી મચાવી છે. ભારે વરસાદ અને તોફાનના પગલે નેપાળમાં અત્યાર સુધીમાં કુલ 27 લોકોનાં મોત નિપજ્યાં છે. આ તોફાનની લપેટમાં આવતા 400 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભારે વરસાદ અને તોફાનના પગલે નેપાળમાં ભારે તબાહી મચી છે.
જો કે આ ભારે તોફાનમાં હજુ પણ આ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. પ્રાપ્ત વિગતો મુજબ, દક્ષિણ બારા જિલ્લા અને પરસામાં તોફાને ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફત બાદ બચાવ અને રાહત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલીએ પણ કુદરતી હોનારત સામે દુઃખ વ્યક્ત કર્યુ અને અસરગ્રસ્તોને સાંત્વના આપી છે.
નેપાળમાં આવેલા ભીષણ તોફાનના કારણે ભારે તબાહી જોવા મળી છે. ભારે તોફાનમાં અત્યાર સુધીમાં 25 જ્યારે અન્ય 400થી વધારે લોકો ઘાયલ થયા છે. નેપાળમાં તોફાનને કારણે ભારે નુકસાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર રવિવારે સાંજે દક્ષિણી જિલ્લા બારા અને સાથે આવેલા પરસામાં તોફાનનો કહેર જોવા મળ્યો છે. પરસા જિલ્લાના પોલીસ અધિકારી મુજબ મૃતકોની સંખ્યામાં હજી પણ વધારો થઇ શકે તેવી શક્યતા છે.