એક રિસર્ચ અનુસાર, સોશિયલ મીડિયાનો દિવસ દરમિયાન 15 મિનિટ ઉપયોગ ના કરવાથી તમારા સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થઇ શકે છે.
સોશિયલ મીડિયાથી દૂર રહેવાથી સ્વાસ્થ્યમાં થાય છે સુધારો
સો.મીડિયાથી દૂર રહેવાથી 30 ટકા ડિપ્રેશન ઓછુ થાય છે
ઊંઘની ગુણવત્તામાં 50 ટકાનો સુધાર થાય છે
આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારે પડતો જ કરે છે. દેશ-દુનિયામાં શું ચાલી રહ્યું છે. તેના સાથે જોડાયેલી માહિતીઓ સોશિયલ મીડિયા દ્વારા મળે છે. ઘણા લોકો સોશિયલ મીડિયાના ઉપયોગથી પબ્લિસિટી માટે તો અમુક પૈસા કમાવા માટે કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સોશિયલ મીડિયા આપણા સ્વાસ્થ્ય પર કેટલો ખરાબ પ્રભાવ પાડી શકે છે? આપણે અજાણતા તેના કારણે ચિંતા, તણાવ અને ડિપ્રેશનમાં જતા રહે છે. એક રિસર્ચ મુજબ, સોશિયલ મીડિયાનો દિવસ દરમિયાન ફક્ત 15 મિનિટ ઉપયોગ ના કરવાથી સ્વાસ્થ્યમાં ફક્ત સુધાર થઇ શકે છે.
જર્નલ ઓફ ટેક્નોલોજી ઇન બિહેવિયર સાઇંસમાં પબ્લિશ સ્ટડી અનુસાર, 15 મિનિટ સુધી સોશિયલ મીડિયાને ઇગ્નોર કરવાથી શરદી, ફ્લૂ, મસા અને વેરુકા સહિત અનેક ઇમ્યુન ફંક્શનમાં લગભગ 15 ટકા જેટલો સુધારો જોવા મળ્યો છે. સ્ટડીમાં દાવો કરવામાં ઈવ્યો છે કે આનાથી ઊંઘની ગુણવત્તામાં 50 ટકાનો સુધાર થાય છે અને 30 ટકા ડિપ્રેશન ઓછુ થાય છે. સ્વાનસી યુનિવર્સિટીના સ્કૂલ ઓફ સાઇકોલોજીના પ્રોફેસર ફિલ રીડનું કહેવુ છે કે, આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે જ્યારે લોકો પોતાના સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછામાં ઓછો કરે છે ત્યારે તેમની જીવનશૈલીમાં સુધારો જોવા મળે છે. તેમની ફિઝિકલ હેલ્થ અને સાઇકોલોજિકસ હેલ્થને પણ ફાયદા થાય છે.
સોશિયલ મીડિયા અને હેલ્થનું ક્નેક્શન!
ફિલ રીડનું કહેવુ છે કે, હજી એવાત પર મોહર લગાવવાનું બાકી છે કે શું ખરેખર સોશિયલ મીડિયાના સ્વાસ્થ્યથી કોઇ ગાઢ કનેક્શન છે કે નહીં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઘણી વખત અમુક લોકો માટે લત બની જાય છે અને ચિંતા, ડિપ્રેશન અને ઘણી બીમારીઓનું પણ કારણ બની શકે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ જેટલો ઓછો કરીએ તેટલુ સ્વાસ્થ્ય માટે સારુ છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત આપણે બીજાની ઉપલબ્ધિઓને જોઇ ઇનફીરિયોરિટી કોમ્પેલેક્સ અનુભવે છે, ઇર્શાની ભાવના પેદા કરે છે. જેના આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આપણી મેન્ટલ હેલ્થ પર ખરાબ રીતે પ્રભાવિત કરે છે.