નવી દિલ્હીઃ અયોધ્યમાં રામમંદિર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. અયોધ્યાના કેશવરપુરમમાં રામ જન્મભૂમિ ન્યાસ દ્વારા સંચાલિત વર્કશોપમાં મંદિર નિર્માણનુ કામ ચાલી રહ્યું છે. પરંતુ મંદિરમાં વાપરવાની સાધનસામગ્રીનું કામ 1990થી ચાલી રહી છે. વર્કશોપમાં હાલ ફંડ ઓછો હોવાના કારણે કારીગરો અને શિલ્પકારોની સંખ્યા ઓછી દેખાઈ રહી છે. જેને લઈને મંદિર નિર્માણ કરવાવાની વાતો કરતા લોકો પર અનેક સવાલ ઉભા થયા છે.
એક તરફ આ મામલે રાજકારણ ચાલી રહ્યું છે. ત્યારે મંદિરમાં ઉપયોગની સાધનસમગ્રી લાવવાના ફંડમાં ઘટાડો થયો છે. એક તરફ હિંદુ મહાસભા દ્વારા સુપ્રીમ કોર્ટને અપીલ કરાઈ હતી કે રામમંદિર મામલે કેસની સુનાવણી ઝડપી કરવામાં આવે.
ત્યારે કોર્ટે ટકોર કરી હતી કે જાન્યુઆરીમાં જ આ કેસની તારીખ આપવામાં આવી છે અને સુનાવણી તારીખ પ્રમાણે જ કરવામાં આવશે. યોગી સરકાર એક તરફ મંદિર નિર્માણ માટે મોટા દાવા કરે છે ત્યારે હાલ આ ફંડ પતી જતા અનેક સવાલો ઉભા થયા છે.