પશ્ચિમ બંગાળના બારોસઈ રેલવે સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, બારીના કાચ તૂટ્યા, ટ્રેન હાવડાથી ન્યૂ જલપાઈગુડી આવી રહી હતી
પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો
પશ્ચિમ બંગાળના બારોસઈ રેલવે સ્ટેશન પાસે પથ્થરમારો
પથ્થરમારાથી વંદે ભારત ટ્રેનના બારીના કાચ તૂટ્યા
પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. રવિવારે પશ્ચિમ બંગાળના બારોસઈ રેલવે સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે બારીના કાચ તૂટી ગયા છે. વંદે ભારત ટ્રેન હાવડાથી ન્યૂ જલપાઈગુડી આવી રહી હતી.બીજી તરફ પથ્થરમારાની માહિતી મળતા જ અધિકારીઓ ઘટનાસ્થળે તુરંત પહોંચી ગયા હતા અને મામલાની તપાસ શરૂ કરી છે. વંદે ભારતના C14 કમ્પાર્ટમેન્ટ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે ટ્રેનને બોલપુર સ્ટેશન પર લાંબા સમય સુધી રોકવી પડી હતી. એમાં સારા સમાચાર એ છે કે, કોઈ મુસાફરને ઈજા થઈ નથી.
પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો
આ હુમલો 2 જાન્યુઆરીએ માલદા જિલ્લામાં થયો હતો. ભાજપે હુમલાની NIA તપાસની માંગ કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં નહીં પરંતુ બિહારમાં વંદે ભારત પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જેમણે જુઠ્ઠી વાતો ફેલાવવાનું કામ કર્યું છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આપણા રાજ્યને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વંદે ભારત કોઈ નવી ટ્રેન નથી તે જૂની ટ્રેન છે, જેમાં નવું એન્જિન લગાવવામાં આવ્યું છે.
એક અઠવાડિયામાં 3 ત્રીજી ઘટના
આ હુમલા બાદ એક જ અઠવાડિયામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. અગાઉ 2 જાન્યુઆરીએ માલદા નજીક વંદે ભારત ટ્રેન પર અને 3 જાન્યુઆરીએ ફાંસીદેવી પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 3 જાન્યુઆરીએ પથ્થરમારાના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. 3 જાન્યુઆરીએ હાવડાથી નવી જલપાઈગુડી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાવડા NJP વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
ત્રણ આરોપીઓની ધરપકડ કરી
કિશનગંજના એસપી ડૉ. ઈનામુલ હકે ગુરુવારે આ મામલે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે રેલ્વે અધિકારીઓએ પથ્થરમારાની માહિતી આપી હતી. આ પછી મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે વંદે ભારત ટ્રેન પર ચાર છોકરાઓએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે પોઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચારમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ન્યાય પરિષદ સમક્ષ રજૂ કરાયા.