વડોદરામાં નીકળેલી ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરતા મામલો બિચક્યો હતો. ત્યારે પથ્થરમારીની ઘટના બનતા સમગ્ર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
વડોદરાના ફતેપુરામાં શોભાયાત્રામાં ફરી પથ્થરમારો
ફતેપુરામાં ફરીથી શાંતિ ડહોળવાનો પ્રયાસ
રામનવમીને લઈ નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો
પોલીસ અધિકારીઓએ પોલીસ ભવન ત્રિનેત્ર ખાતે પહોંચ્યા
વડોદરાનાં ફતેપુરામાં રામનવમીની શોભાયાત્રામાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આજે રામનવમી હોઈ શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા ફતેહપુરા ખાતે પહોંચતા કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો શરૂ કર્યો હતો. ત્યારે પોલીસે પથ્થમારાની ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ ભવન પહોચ્યા છે. પોલીસ અધિકારીઓ પોલીસ ભવન ત્રિનેત્ર ખાતે પહોચ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ ભવન પહોંચ્યા
વડોદરામાં બનેલી ઘટનાને લઈને ગાંધીનગર પોલીસ ભવન ખાતે પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. પોલીસ અધિકારીઓએ પોલીસ ભવન ત્રિનેત્ર ખાતે પહોંચ્યા હતા. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ ભવન પહોચ્યા છે. તેમજ વડોદરાના પથ્થરમારાને લઈ CCTV ફૂટેજની ચકાસણી શરૂ કરી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 30, 2023
મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ
રામનવમીની ભગવાન શ્રીરામની શોભાયાત્રા ફતેહપુરા વિસ્તારમાંથી નીકળતા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેટલાક અસમાજિક તત્વોએ ભગવાન રામની મૂર્તિ પર પથ્થરમારો કરીને મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હાલ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છેઃ DCP
આ બનાવ અંગે DCP ઝોન 3 યશપાલ જગાનીયાએ જણાવ્યું કે, સિટી પોલીસ સ્ટેશન નજીક રામનવમીની શોભાયાત્રા દરમિયાન એક મસ્જિદ આગળ થોડું ઘર્ષણ થયું હતું. તેમાં કોઈ મુદ્દો બન્યો નથી. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ છે, શોભાયાત્રા પોતાના રૂટ પર આગળ વધી ગઈ છે. હાલમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.