રામનવમીનાં પર્વ નિમિત્તે હિન્દુ સંગઠનો દ્વારા રામનવમીની શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તહેવારની પવિત્રતા ડહોળાય એ કોઈ સંજોગોમાં સાંખી ન લેવાય અને છેલ્લા કેટલાક સમયથી એવુ બને છે કે રામનવમી જેવા હિન્દુ ધર્મના પવિત્ર તહેવારે જ પથ્થરમારાની ઘટના બને છે અને શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય છે. ગયા વર્ષે ખંભાત અને સાબરકાંઠાનું ઉદાહરણ લઈ લો અને આ વર્ષે ઉદાહરણ લો વડોદરાનું. વડોદરામાં તો હદ ત્યારે થઈ જયારે બપોરે અને સાંજે એમ બે વખત રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો. પથ્થરબાજો પણ ઉછળી-ઉછળીને પોલીસને એવી રીતે પડકાર ફેંકતા હતા કે જાણે એમને પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ નથી. માત્ર વડોદરા જ નહીં પણ બંગાળના હાવડામાં પણ જુલુસને આગ ચાંપવામાં આવી. ભારતમાં તહેવારોની કોઈ ખોટ નથી, પ્રત્યેક તહેવાર શાંતિ-એખલાસથી ઉજવાય એવા જ દરેક સ્તરે પ્રયાસ હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી એવું ચોક્કસ બને છે કે રામનવમી અથવા તો હિંદુ ધર્મનો તહેવાર આવે ત્યારે તેમા શાંતિ ડહોળવાનો અચૂક પ્રયાસ થાય. આવા તોફાની તત્વોને ડામવાનો કાયમી ઉપાય શું?, તહેવારની પવિત્રતા જોખમમાં મુકનારા અસામાજિક તત્વોને આકરી સજા ક્યારે. રામનવમીની શોભાયાત્રામાં પથ્થરબાજી કરનારા આખરે કોણ છે?
દેશભરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન
શોભાયાત્રા દરમિયાન અનેક વિસ્તારોમાં અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો
રામનવમી પર વડોદરા, હાવડા, લખનઉ અને ધનબાદમાં હિંસા
રામનવમી પર પશ્ચિમ બંગાળના હાવડામાં થઈ હિંસા
વડોદરાના ફતેપુરા અને હાથીખાના પાસે શોભાયાત્રા પર પથ્થરમારો
વડોદરામાં એક જ દિવસમાં બે વખત શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયો
વડોદરામાં હિંસા વધતા વધુ પોલીસ કાફલો ભરૂચ અને ખેડાથી બોલાવાયો
પોલીસના કાફલાએ ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો
દેશભરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. શોભાયાત્રા દરમિયાન અનેક વિસ્તારોમાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારે રામનવમી પર વડોદરા, હાવડા, લખનઉ અને ધનબાદમાં હિંસા થવા પામી હતી. રામનવમી પર પશ્ચિમ બંગાળનાં હાવડામાં હિંસા થઈ હતી. તેમજ વડોદરાનાં ફતેપુરા અને હાથીખાના પાસે શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો હતો. વડોદરામાં એક જ દિવસમાં બે વખથ શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયો હતો. વડોદરામાં હિંસા વધતા વધુ પોલીસ કાફલો ભરૂચ અને ખેડાછી બોલાવાયો હતો. ત્યારે પોલીસના કાફલાએ ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો.
તોફાની તત્વો સામે ગૃહવિભાગે કરી લાલ આંખ
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશનર સાથે કરી વાત
સમગ્ર સ્થિતિ પર કડક હાથે કાબુ લેવા સૂચના આપવામાં આવી
પથ્થરમારો કરનારાઓ સામે કડક પગલા ભરવા આદેશ
રાજ્ય સરકારે એલર્ટ!
તોફાની તત્વો સામે ગૃહવિભાગે લાલ આંખ કરી છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશ્નર સાથે વાત કરી છે. સમગ્ર સ્થિતિ પર કડક હાથે કાબુ લેવા સૂચના આપવામાં આવી હતી. પથ્થરમારો કરનારાઓ સામે કડક પગલા ભરવા આદેશ પણ આપવામાં આવ્યો છે.
હિંદુ ધર્મ શાસ્ત્ર મુજબ આ દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો
રામનવમીનો માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે
રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ
રામનવમીના દિવસે હિન્દુ ધર્મના લોકો વ્રત રાખી પૂજા અર્ચના કરે છે
ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના ભક્તિભાવથી કરે છે
રામનવમીનો તહેવાર ભારતમાં શ્રદ્ધા અને આસ્થાની સાથે ઉજવાય છે
રામનવમીના દિવસે જ ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ પણ થાય છે
હિન્દુ ધર્મના લોકો વહેલી સવારે પવિત્ર નદીઓમાં સ્નાન કરી પુણ્યના ભાગીદાર બને છે
રામનવમીનું મહત્વ શું?
હિંદુ ધર્મ શાસ્ત્ર મુજબ આ દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. રામનવમીનો માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ માનવામાં આવે છે. રામનવમીના દિવસે હિન્દુ ધર્મના લોકો વ્રત રાખી પૂજા અર્ચના કરે છે. ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના ભક્તિભાવથી કરે છે. રામનવમીનો તહેવાર ભારતમાં શ્રદ્ધા અને આસ્થાની સાથે ઉજવાય છે. રામનવમીના દિવસે જ ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ પણ થાય છે. હિન્દુ ધર્મના લોકો વહેલી સવારે પવિત્ર નદીઓમાં સ્નાન કરી પુણ્યના ભાગીદાર બને છે
રામનવમી પર પશ્ચિમ બંગાળના હાવડામાં થઈ હિંસા
અસામાજિક તત્વો દ્વારા રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો
શોભાયાત્રા પર પથ્થરમારો થતા પોલીસે કર્યો લાઠીચાર્જ
પથ્થરમારામાં કેટલાય લોકો થયા ઇજાગ્રસ્ત
આસામાજિક તત્વો દ્વારા અનેક વાહનોમાં તોડફોડ અને આગચંપી
બંગાળમાં આજે શું થયું?
રામનવમી પર પશ્ચિમ બંગાળના હાવડામાં થઈ હિંસા થઈ. અસામાજિક તત્વો દ્વારા રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો. શોભાયાત્રા પર પથ્થરમારો થતા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. પથ્થરમારામાં કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આસામાજિક તત્વો દ્વારા અનેક વાહનોમાં તોડફોડ અને આગચંપી કરી હતી.
રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન
અસામાજિક તત્વોએ શોભાયાત્રા પર કર્યો પથ્થરમારો
શોભાયાત્રાનું આયોજન વિહિપ અને બજરંગદળે કર્યુ હતું
ફતેપુરાના પાંઝરીગર પાસે પહોંચતા જ પથ્થરમારો શરૂ થયો
તોફાની ટોળું તોડફોડ પર ઉતરી આવ્યું
પથ્થરમારા બાદ વડોદરાના ફતેપુરાના સમગ્ર બજારો બંધ
પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા કર્યો લાઠીચાર્જ
કુંભારવાડા પાસે બીજી શોભાયાત્રા પર પણ અસામાજિક તત્વોએ કર્યો પથ્થરમારો
પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા કર્યો પ્રયાસ
પોલીસે અસામાજિક તત્વોની ઓળખ માટેની કામગીરી શરૂ કરી
વડોદરામાં શું થયું?
રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અસામાજિક તત્વોએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો. શોભાયાત્રાનું આયોજન વિહિપ અને બજરંગદળે કર્યું હતું. ફતેહપુરાનાં પાંઝરીગર પાસે પહોચતા જ પથ્થરમારો શરૂ થયો હતો. ત્યારે તોફાનીઓનું ટોળું તોડફોડ પર ઉતરી આવ્યું હતું. વડોદરાના ફતેહપુરામાં પથ્થરમારા બાદ સમગ્રે બજારો બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા લાઠીચાર્જ કર્યો હતો. તો બીજી તરફ કુંભારવાડા પાસે બીજી શોભાયાત્રા પર પણ અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારે પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસે અસામાજિક તત્વોની ઓળખ માટેની કામગીરી શરૂ કરી છે.
ખંભાતમાં 2022માં રામનવમીએ ભવ્ય શોભાયાત્રા નિકળી
શોભાયાત્રા થોડી આગળ પહોંચી કે તરત જ પથ્થરમારો થયો
વિધર્મી લોકોએ શોભાયાત્રા ઉપર પથ્થરમારો કર્યો
દુકાનો,વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી
પથ્થરમારામાં એકનું મૃત્યુ થયું હતું
આણંદ SOGએ બાતમીના આધારે 10 આરોપી પકડી પાડ્યા હતા
ખંભાતમાં ગયા વર્ષે શું બન્યું હતું?
ખંભાતમાં વર્ષ 2022 માં રામનવમીએ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા થોડી આગળ પહોંચી કે તરત જ પથ્થરમારો થયો હતો. વિધર્મી લોકોએ શોભાયાત્રા ઉપર પથ્થરમારો કર્યો હતો. તેમજ દુકાનો, વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. ત્યારે પથ્થરમારામાં એકનું મૃત્યું થયું હતું. આણંદ એસઓજીએ બાતમીના આધારે 10 આરોપીઓને પકડી પાડ્યા હતા.
હિંમતનગરમાં ગત વર્ષે રામનવમીએ હિંસાનો બનાવ બન્યો
છાપરિયાવાડ વિસ્તારમાંથી શોભાયાત્રા પસાર થઈ ત્યારે પથ્થરમારો થયો
ઘટના બાદ હિંમતનગરના કેટલાક વિસ્તારમાં કલમ 144 લાગુ કરાઈ
પોલીસે 39 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ કરી હતી
700થી વધુના ટોળા સામે જાહેર સંપતિને નુકસાન કરવા અંગે ફરિયાદ થઈ
હિંસા બાદ વહીવટીતંત્રએ આરોપીઓની સંપતિ ઉપર બુલડોઝર ફેરવ્યું હતું
હિંમતનગરમાં ગયા વર્ષે શું બન્યું?
હિંમતનગરમાં ગત વર્ષે રામનવમીએ હિંસાનો બનાવ બન્યો હતો. છાપરિયાવાડ વિસ્તારમાંથી શોભાયાત્રા પસાર થઈ ત્યારે પથ્થરમારો થયો હતો. બપોર બાદ સાંજના સમયે ફરી પથ્થરમારો થયો હતો. સ્થિતિ વધુ વણસી અને વાહનોમાં આગચંપી થઈ હતી. ત્યારે પોલીસે ટિયરગેસના શેલ છોડવા પડ્યા હતા. ઘટના બાદ હિંમતનગરના કેટલાક વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. પોલીસે 39 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ કરી હતી. 700થી વધુના ટોળા સામે જાહેર સંપતિને નુકસાન કરવા અંગે ફરિયાદ થઈ હતી. હિંસા બાદ વહીવટીતંત્રએ આરોપીઓની સંપતિ ઉપર બુલડોઝર ફેરવ્યું હતું.